Saturday, February 22, 2025
HomeGujaratખાવડા પાસેના મોટી રોહાતડ ગામે ઝાડા ઉલ્ટીના કારણે દસ દિવસમાં ચાર બાળકો...

ખાવડા પાસેના મોટી રોહાતડ ગામે ઝાડા ઉલ્ટીના કારણે દસ દિવસમાં ચાર બાળકો મોતને ભેટયા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ભુજ : તાલુકાના ખાવડા નજીક આવેલ રતડીયા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા મોટી રોહાતડ ગામે પાણીજન્ય રોગચાળાના કારણે દસ દિવસમાં જ ચાર બાળકોના મોત નીપજતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. હજુ સાત લોકો બિમાર પડયા છે. જે પૈકી બે બાળકો અને એક મહિલા સહિત વૃધ્ધ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દસ દિવસમાં ચાર ચાર બાળકોના મોતના પગલે ગામમાં ભયનું મોજુ ફેલાયું છે. ગામ પાસે આવેલા બાંડી ડેમમાંથી પીવા માટે પાણી વિતરણ કરાતું હોઈ અને પાણી ગંદુ હોવાથી બાળકો ઝાડા ઉલ્ટીનો ભોગ બન્યા હતા. મોટી રોહાતળ ગામે બીમારીનો ભોગ બનેલાઓ બાળકો પૈકી તારીખ ૨૦ના સાયભા કયુમકરીમ સમા (ઉ.વ.૬) , તા.૨૬ના જાસમીબાઈ રસીદ સમા ઉમર(ઉ.વ.૩), તા.૨૭ના મોડ સીધીક સમા (ઉ.વ.૩) તેમજ વસીમ અબ્દુલ કરીમ સમા (ઉ.વ.૩)નું મૃત્યું નીપજયા છે. જયારે હજુ ચાર બાળકો અને એક મહિલા તેમજ એક વૃધ્ધ ભુજમાં સારવાર હેઠળ છે. ગામના સરપંચ જે.એ.સમાએ જણાવ્યું હતું કે, ગામ પાસે આવેલા બાંડી ડેમમાંથી પીવાનું પાણી વિતરણ કરાય છે જે ગંદુ હોવાથી મોટી રોહાતળ ગામે એક જ પરિવારના સભ્યો ખાસ કરીને નાના બાળકો ભોગ બન્યા હતા. છેલ્લા દસ દિવસમાં એક બાળકી સહિત ત્રણ બાળકો મોતને ભેટયા છે. જયારે પરિવારના અન્ય બાળકો અને મહીલા તેમજ વૃધ્ધ સારવાર હેઠળ છે. આ અંગેની જાણ થતાં જ સ્થાનિકે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે માટે ટીમો ઉતારવામાં આવી છે. રતડીયા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આરોગ્ય કમિશ્નર ગુજરાત ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરી, આક્ષેપ કરાયો છે કે, સ્થાનિકે ખાવડા સીએચસીમાં રાત્રિના સમયે ડોકટર ગેરહાજર હોવાના કારણે સારવાર મળતી નથી. આજુબાજુના દર્દીઓને રાત્રિના ધક્કા પડે છે. દિનારા ખાતે સીએચસીમાં કાયમી ડોકટરોની નિમણુંક આપવામાં આવે તેમજ આસપાસના પીએચસી અને સીએચસીમાં પણ ડોકટરો હાજર હોતા નથી તેઓને હાજર રાખવામાં આવે.મોટી રોહાતડ ગામે કયા કેવા કારણોસર રોગચાળો ફેલાયો તે અંગે તપાસ કરવા માટે રાજયસ્તરેથી ટીમો મોકલવામાં આવે તેવી માંગ કરાઈ છે. ખાવડા સીએચસીમાં દવાનો પુરતો સ્ટોક રાખવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here