Monday, February 24, 2025
HomeGujaratAhmedabadગાંધીનગરના મેટ્રો સેવા હવે આગામી દિવસમાં શરૂ, લીલી ઝંડી આપી મોદી મેટ્રોમાં...

ગાંધીનગરના મેટ્રો સેવા હવે આગામી દિવસમાં શરૂ, લીલી ઝંડી આપી મોદી મેટ્રોમાં બેસી ગિફ્ટ સિટી જશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ગાંધીનગર : ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મેટ્રો સેવાનો પ્રારંભ કરવાના છે ત્યારે સેક્ટર 1ના સ્ટેશનેથી ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ તેઓ મેટ્રો ટ્રેનમાં બેસી ગિફ્ટ સિટી ખાતે પહોંચવાના છે. હાલ તેમના આગમનને પગલે કોર્પોરેશન સહિત તમામ તંત્ર તૈયારીઓમાં લાગી ગયા છે.ગાંધીનગરના નાગરિકો છેલ્લા ઘણા વર્ષોથી જેની રાહ જોઈને બેઠા હતા તે મેટ્રો સેવા હવે આગામી દિવસમાં શરૂ થવાની છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં મેટ્રો સેવાનો પ્રારંભ કરવાના છે.જે અંગે મળતી વિગતો પ્રમાણે તેઓ 15 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર આવી જશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરી 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિર ખાતે યોજનારી ગ્લોબલ એનર્જી ઇવેન્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે 1 : 30 કલાકે ગાંધીનગરના ચ-માર્ગ ઉપર આવેલા સેક્ટર 1ના મેટ્રો સ્ટેશન ખાતે પહોંચશે. જ્યાં તેઓ સ્ટેશનનું નિરીક્ષણ કર્યા બાદ મેટ્રો રેલને લીલી ઝંડી દેખાડશે અને અહીં જ તેઓ ટ્રેનમાં બેસીને ગિફ્ટ સિટી સુધી પહોંચશે. જોકે આ રૂટ ઉપર તેમના સ્વર્ગસ્થ માતા હીરાબાનું પણ નિવાસસ્થાન આવેલું છે. જેથી તેમના ઘરની સામે બનાવેલા મેટ્રો સ્ટેશન ખાતે ટ્રેન ઉભી પણ રાખવામાં આવશે. અહીં તેઓ સ્થાનિકો સાથે ચર્ચા પણ કરશે ત્યારબાદ આ ટ્રેન ગિફ્ટ સિટી ખાતે પહોંચશે અને ત્યાંથી તેઓ કાર માર્ગે ગિફ્ટ સિટી પહોંચી જશે. હાલ તો વડાપ્રધાનની આ મુલાકાતને પગલે કોર્પોરેશન સહિતના તમામ તંત્રો કામે લાગી ગયા છે અને આ સમગ્ર રૂટ ઉપર માર્ગોના રીપેરીંગની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.ગાંધીનગરમાં આગામી 16 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાનો પ્રારંભ થવાનો છે ત્યારે વડાપ્રધાનના આગમનને પગલે તમામ મેટ્રો સ્ટેશન આસપાસ બ્યૂટીફિકેશન કરવામાં આવી રહ્યું છે અને તેના પગલે તંત્રો તૈયારીમાં લાગી ગયા છે. આ સ્ટેશનને રોશનીથી શણગારવાની સાથે ખાસ પ્રકારના ફૂલ છોડ પણ ઉગાડી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આસપાસના વિસ્તારમાં દબાણ હટાવ ઝૂંબેશ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here