Friday, May 16, 2025
HomeGujaratગુજરાતના 76 ડેમ શ્રાવણમાં છલકાયા, 70થી 100% જેટલાં 46 ડેમ ભરાઈ જતાં...

ગુજરાતના 76 ડેમ શ્રાવણમાં છલકાયા, 70થી 100% જેટલાં 46 ડેમ ભરાઈ જતાં હાઈએલર્ટ જાહેર

Date:

spot_img

Related stories

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના...

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ 'મેડ ઇન ઇન્ડિયા'માં ભારતીય સિનેમાના...
spot_img

Rain And Weather Updates : ગુજરાતમાં ચોમાસાનો શ્રાવણ મહિનો પાણીનો સંગ્રહ કરતાં જળાશયો માટે ફળદાયી નિવડ્યો છે, જે અનુસાર રાજ્યના 207 જળાશયોમાં ક્ષમતા સામે 78 ટકા જળસંગ્રહ થયો છે. જો કે હજી 31 જળાશયોમાં માત્ર 25 ટકા પાણીની આવક થઇ છે. રાજ્યમાં વરસાદની મહેરના કારણે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર પાણીની આવક થઈ છે. ડીપ ડિપ્રેશનના કારણે વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય રાજ્યના 23 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. 30માં 25થી 50 ટકા વચ્ચે પાણી ભરાયું છે તેમજ 31 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર નર્મદા યોજનામાં હાલમાં 290547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયોમાં 407440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.જળ સંપત્તિ વિભાગના રિપોર્ટમાં જણાવાયું છે કે સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં 2.87 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.87 લાખની જાવક છે. એવી જ રીતે ઉકાઈમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.46 લાખની જાવક, આજી-4માં 1.63 લાખ ક્યુસેક સામે 1.63 લાખની જાવક, કડાણામાં 1.50 લાખ ક્યુસેક પાણી સામે 1.25 લાખની જાવક તેમજ ઉંડ-1માં 1.19 લાખ ક્યુસેક સામે 1.19 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ ઉપરાંત અન્ય 94 જળાશયોમાં 70000 થી 100000 ક્યુસેક સુધીના પાણીની આવક થઈ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 78 ટકા, સૌરાષ્ટ્રના 141માં 66 ટકા, કચ્છના 20માં 61 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ગયા વર્ષે આ સમયે 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના...

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ 'મેડ ઇન ઇન્ડિયા'માં ભારતીય સિનેમાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here