Monday, February 24, 2025
HomeIndiaજૂના અખાડા મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે...

જૂના અખાડા મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે સમાધિ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા વિવાદમાં રહેનારા બાબાને હરિદ્વારમાં સમાધિ આપવામાં આવશે. તેમના નિધનથી દેશ-વિદેશમાં તેમના તમામ આશ્રમોમાં શોકની લાગણી ફેલાઇ છે. જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક શ્રીમહંત ગિરી મહારાજે જૂના અખાડાની તમામ શાખાઓ, આશ્રમો અને પીઠોમાં ત્રણ દિવસનું શોક જાહેર કર્યું છે અને શાંતિ પાઠ કરવાના નિર્દેશ આપ્યા છે.બિહારના રોહતાસ જિલ્લામાં જન્મેલા પાયલોટ બાબાનું મૂળ નામ કપિલ સિંહ હતું. તેઓએ બિહારની બીએચયુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યું હતું. તેઓ બાળપણથી જ આક્રમક સ્વભાવ ધરાવતા હતાં. જેથી તેઓ ભારતીય એરફોર્સમાં પાયલોટ બન્યા હતા. ટુંકા સમયગાળામાં જ પ્રમોશન મેળવી તેઓ વિંગ કમાન્ડરના પદ પર પહોંચ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ પહેલાં ભારત-ચીન યુદ્ધમાં ભાગ લીધો હતો, ત્યાર પછી બે વાર ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ સામેલ થયા હતા. આ યુદ્ધોમાં તેઓએ મહત્ત્વનું ભાગ ભજવ્યું હતું. જે કારણસર તેમને ભારત સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમના વિમાન મિગ-21માં ટેક્નિકલ ખામી આવી ગઇ હતી, આ ઘટનામાં સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટનાથી તેમને જીવન પ્રત્યે મોહ ભંગ થઇ ગયો હતો. જે બાદ 1974માં તેમણે રિટાયરમેન્ટ લઇ સન્યાસ ધારણ કર્યું હતું. 1998માં તેમને જૂના અખાડામાં મહામંડલેશ્વરનું પદ મળ્યું અને 2010માં તેમને ઉજ્જૈનના પ્રાચીન શિવગીરી આશ્રમ નીલકંઠ મંદિરમાં પીઠાધીશ્વર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદી પણ કરતા હતા સન્માન :
સેનાથી નિવૃત્ત થયા બાદ અને તેઓેએ બોલિવૂડમાં ‘એક ફૂલ દો માલી’ જેવી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આધ્યાત્મિક જીવન અપનાવ્યા બાદ તેઓએ પ્રખ્યાત અભિનેત્રી મનીષા કોયરાલાને દીક્ષા આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત દેશના ઘણાં દિગ્ગજો બાબાનું સન્માન કરતા હતા. પાયલોટ બાબાનું સમગ્ર જીવન વિવાદિત રહ્યું હતું. સેનામાં નોકરી દરમિયાન તેમના પર આદેશ વિરૂદ્ધ પોતાની મરજી ચલાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. સન્યાસી બન્યા બાદ પણ તેમના પર ઘણાં આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં 2010ના કુંભના મેળામાં ભક્તોને ગાડીથી કચડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે તેમના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. નૈનિતાલમાં તેમના પર જમીન કબજે કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે બાબા જેલ પણ ગયા હતા. આટલું જ નહીં, બાબાનું એક સ્ટિંગ ઓપરેશન પણ થયું હતું, જેમાં તેઓ કાળા ધનને સફેદ કરતાં જોવા મળ્યા હતા.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here