Saturday, April 19, 2025
HomeGujaratજેતપુરમાં પ્રેમ સંબંધ મામલે 2 જૂથ વચ્ચે મારામારી થતા 9 લોકો ઘવાયા

જેતપુરમાં પ્રેમ સંબંધ મામલે 2 જૂથ વચ્ચે મારામારી થતા 9 લોકો ઘવાયા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

જેતપુર : જેતપુરમાં પ્રેમસંબંધ મામલે બે જૂથ વચ્ચે મારામારી થતા નવ લોકો ઘવાયા હતા. ઘવાયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે જેતપુર સીટી પોલીસે સામસામી ફરિયાદ પરથી નવ શખસો સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ જેતપુરમાં વાલ્મીકિવાસ અંબર ટોકીઝની પાછળ રહેતા સાહીલ મનોજભાઈ વાઘેલા (ઉ.વ.૧૯)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે માનવ ગોપાલ ઝાલા, ગૌતમ દિપક ઝાલા, દિવ્યેશ મહેશ ઝાલા, સાગર જેન્તી ઝાલા અને મનીષ મહેશ ઝાલાનું નામ આપતા જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, ગઇકાલે રાતના સમયે તે કણકીયા પ્લોટમાં મંગલમ કોમ્પલેક્ષની સામે ગણેશ ગેરેજ પર કુલદીપભાઇ વાઘેલા, પ્રશાંત વાઘેલા સાથે બેઠો હતો.ત્યારે તેમને અગાઉ પ્રમસંબધ મામલે બોલાચાલી થયેલ હતી. તે માનવ ઝાલા તેમની પાસે આવેલ અને કહેવા લાગેલ કે, તારા મોટા બાપુના દીકરા રાજને અમે માર્યો હતો ત્યારે તમે અમારૂ શું બગાડી લીધું તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરતા તેના મિત્રો છોડાવવા વચ્ચે પડતા બંન્ને મિત્રોને તેમજ પોતાને પણ હાથ-પગમાં ઈજા થયેલ હતી. દરમિયાન ગૌતમ ઝાલા, દિવ્યેશ ઝાલા ઘસી આવેલ અને તેમજ યુવાનના પિતા મનોજભાઇ વાઘેલા આવતા તમને પણ આરોપીઓએ લાકડીથી માર માર્યો હતો.ત્યારબાદ તેમના સંબંધી રાજભાઈ વાઘેલા સહીતના લોકો હોસ્પિટલે દોડી આવેલ અને કહેલ કે, તેમની સાથે પણ આરોપીઓએ મારામારી અને ઝઘડો કરેલ છે. વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે તેમના મોટા બાપુના દીકરા રાજભાઈ વાઘેલાને માનવ ઝાલાની બહેનની સાથે પ્રેમસંબંધ હોય જે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here