Sunday, May 25, 2025
HomeGujaratજેતપુરમાં પ્રેમ સંબંધ મામલે 2 જૂથ વચ્ચે મારામારી થતા 9 લોકો ઘવાયા

જેતપુરમાં પ્રેમ સંબંધ મામલે 2 જૂથ વચ્ચે મારામારી થતા 9 લોકો ઘવાયા

Date:

spot_img

Related stories

કેએફસીની ન્યૂ વેલ્યૂ ઓફર સાથે એપિક ટેસ્ટ અને એપિક...

બધા ચિકન લવર્સને કેએફસી એપિક ઓફરનો લાભ લેવા આમંત્રણ...

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...
spot_img

જેતપુર : જેતપુરમાં પ્રેમસંબંધ મામલે બે જૂથ વચ્ચે મારામારી થતા નવ લોકો ઘવાયા હતા. ઘવાયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે જેતપુર સીટી પોલીસે સામસામી ફરિયાદ પરથી નવ શખસો સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ જેતપુરમાં વાલ્મીકિવાસ અંબર ટોકીઝની પાછળ રહેતા સાહીલ મનોજભાઈ વાઘેલા (ઉ.વ.૧૯)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે માનવ ગોપાલ ઝાલા, ગૌતમ દિપક ઝાલા, દિવ્યેશ મહેશ ઝાલા, સાગર જેન્તી ઝાલા અને મનીષ મહેશ ઝાલાનું નામ આપતા જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, ગઇકાલે રાતના સમયે તે કણકીયા પ્લોટમાં મંગલમ કોમ્પલેક્ષની સામે ગણેશ ગેરેજ પર કુલદીપભાઇ વાઘેલા, પ્રશાંત વાઘેલા સાથે બેઠો હતો.ત્યારે તેમને અગાઉ પ્રમસંબધ મામલે બોલાચાલી થયેલ હતી. તે માનવ ઝાલા તેમની પાસે આવેલ અને કહેવા લાગેલ કે, તારા મોટા બાપુના દીકરા રાજને અમે માર્યો હતો ત્યારે તમે અમારૂ શું બગાડી લીધું તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરતા તેના મિત્રો છોડાવવા વચ્ચે પડતા બંન્ને મિત્રોને તેમજ પોતાને પણ હાથ-પગમાં ઈજા થયેલ હતી. દરમિયાન ગૌતમ ઝાલા, દિવ્યેશ ઝાલા ઘસી આવેલ અને તેમજ યુવાનના પિતા મનોજભાઇ વાઘેલા આવતા તમને પણ આરોપીઓએ લાકડીથી માર માર્યો હતો.ત્યારબાદ તેમના સંબંધી રાજભાઈ વાઘેલા સહીતના લોકો હોસ્પિટલે દોડી આવેલ અને કહેલ કે, તેમની સાથે પણ આરોપીઓએ મારામારી અને ઝઘડો કરેલ છે. વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે તેમના મોટા બાપુના દીકરા રાજભાઈ વાઘેલાને માનવ ઝાલાની બહેનની સાથે પ્રેમસંબંધ હોય જે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.

કેએફસીની ન્યૂ વેલ્યૂ ઓફર સાથે એપિક ટેસ્ટ અને એપિક...

બધા ચિકન લવર્સને કેએફસી એપિક ઓફરનો લાભ લેવા આમંત્રણ...

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here