Sunday, March 8, 2026
Homenationalજેમની પાસે છુપાવવા માટે ઘણું બધું છે, તેમને જ લાગે છે CBIનો...

જેમની પાસે છુપાવવા માટે ઘણું બધું છે, તેમને જ લાગે છે CBIનો ડરઃ જેટલી- આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઈ પાસેથી રાજયમાં કાર્યવાહી કરવાનો અધિકાર છીનવ્યો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

– સીબીઆઈને હવે રાજયમાં કોઈ પણ તપાસ કરતા પહેલા રાજય સરકારની અનુમતિ લેવી પડશે

– જેટલી કહ્યું કે આંધપ્રદેશ સરકારે આવનારા કોઈ પણ ખતરાને જોતા આ નિર્ણય લીધો છે

ભોપાલઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) પાસેથી રાજયમાં કાર્યવાહી કરવાનો અધિકાર છીનવનાર આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણય પર નાણાં મંત્રી અરૂણ જેટલીએ નિશાન સાધ્યું છે. જેટલીએ શનિવારે કહ્યું કે જે લોકો પાસે છુપાવવા માટે ઘણી બધી વસ્તુઓ છે તેમને જ સીબીઆઈથી ડર લાગે છે.

– આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે હાલમાં જ તે કરારમાંથી પોતાની સહમતિ પરંત લઈ લીધી છે, જે અંતર્ગત સીબીઆઈને તપાસના અધિકાર મળ્યાં હતા. હવે સીબીઆઈએ કોઈ પણ મામલાની તપાસ કરવા માટે રાજય સરકારની અનુમતિ લેવી પડશે. જોકે આ કેસમાં એવા મામલાઓ નહિં ફસાય, જેની તપાસનો આદેશ કોર્ટે આપ્યો હશે.

– જેટલીએ કહ્યું કે સીબીઆઈને રાજયમાં ઘુસવા પર એ રાજયો જ પ્રતિબંધ લગાવી રહ્યાં છે, જેની પાસે ઘણું બધુ છુુુપાવવા માટે છે. આંધપ્રદેશમાં આ નિર્ણય કોઈ એક કેસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નથી. આંધપ્રદેશમાં આ નિર્ણય કોઈ એક કેસને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો નથી. જોકે અગામી દિવસોમાં આવનાર ખતરાઓને લઈને લેવામાં આવ્યો છે. શારદા ચિટ ફન્ડ ગોટાળા અને નારદા સ્ટિંગ ઓપરેશનની વાત કરીને નાણાં મંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં અમે શારદા અને નારદાને એ કહીને ન નકારી શકીએ કે ભવિષ્ય માટે તેમણે સીબીઆઈને ડી-નોટીફાઈ કરી દીધી છે.

આંધપ્રદેશમાં નવેમ્બરમાં ઈસ્યું થયું નોટિફીકેશન

– આંધપ્રદેશના પ્રધાન સચિવ એ આર અનુરાધાએ સીબીઆઈને રાજયમાં તપાસ રોકવાનો આદેશ 8 નવેમ્બરે આપ્યો હતો. ગુરુવારે રાતે લીક થવાને કારણે આ નિર્ણયનો ખ્યાલ આવ્યો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલિસ સ્થાપના કાનૂન 1946ની ધારા 6 અંતર્ગત દિલ્હી પોલિસ સાથે જોડાયેલા સભ્યોને આંધ્રપ્રદેશમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાની જે સહમતિ આપવામાં આવી હતી, તે પરત લેવામાં આવે છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here