Sunday, February 23, 2025
HomeWorldટ્રુડોની ડામાડોળ સત્તા બચાવવાનો પ્રયાસ, PR બાદ હવે ઈમિગ્રેશનના નિયમો કડક કરશે

ટ્રુડોની ડામાડોળ સત્તા બચાવવાનો પ્રયાસ, PR બાદ હવે ઈમિગ્રેશનના નિયમો કડક કરશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

Canada PM On Immigration Rules: કેનેડાના વડાપ્રધાન ટ્રુડો ખુરશી સંભાળવા માટે શીખ બાદ હવે કેનેડિયન્સને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે PR વિઝા પર કાપ મૂકવાની જાહેરાત બાદ હવે ઈમિગ્રેશન નિયમોને કડક બનાવવાની જાહેરાત કરી છે. કેનેડા સરકારે આગામી બે વર્ષ માટે ઈમિગ્રન્ટ્સ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, “અમે આગામી બે વર્ષમાં કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહ્યા છીએ, આ એક અસ્થાયી નિર્ણય છે, જે આપણી વસ્તી વૃદ્ધિને રોકવા અને આપણી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન કરવા માટે લેવામાં આવ્યો છે.”


કોરોનાની નીતિ કેનેડા પર ભારે પડી

કોરોના મહામારી દરમિયાન વિશ્વભરના દેશોએ ટ્રાવેલિંગ અને વિદેશીઓ પર નિયંત્રણો લાદ્યા હતા. જો કે, એકમાત્ર કેનેડાએ વિદેશીઓ અને પ્રવાસીઓને વિઝા આપવાની પ્રક્રિયા અને પ્રવેશની મંજૂરી આપી હતી. જેના લીધે કેનેડામાં વિદેશીઓની સંખ્યા અનેકગણી વધી છે. પરિણામે તેના અર્થતંત્ર પર બોજો વધ્યો છે. ટ્રુડોએ જણાવ્યું કે, હવે એડજસ્ટમેન્ટ કરવાનો સમય આવી ગયો છે. કેનેડાને તેની વસ્તી સ્થિર કરવાની જરૂર છે. કેનેડિયનના હિત માટે આ પગલું લેવુ જરૂરી છે.

વસ્તી વૃદ્ધિ રોકવા નિર્ણય

કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે 2025-2027 ઇમિગ્રેશન લેવલ પ્લાનની જાહેરાત કરી છે. આપણા દેશની આર્થિક સફળતા અને વિકાસ માટે ઇમિગ્રેશન પોલિસી જરૂરી છે. આપણા દેશની જરૂરિયાતો અનુસાર, આ યોજના વસ્તી વૃદ્ધિને રોકવામાં સફળ થશે, જેથી વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય.

PR માં ઘટાડો

કેનેડામાં નવી ઈમિગ્રેશન પોલિસી હેઠળ 2025માં માત્ર 3,95,000 લોકોને જ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવશે. આગામી વર્ષોમાં તેમાં વધુ ઘટાડો જોવા મળશે. 2026માં માત્ર 3,80,000 લોકોને અને પછી 2027માં 3,65,000 લોકોને પરમેનન્ટ રેસિડેન્સી આપવાની યોજના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કેનેડા હવે PR આપવા પર ઘટાડો કરી રહ્યું છે.

કેનેડાની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સીએ જણાવ્યું હતું કે દેશની વસ્તી 2023થી 2024 સુધીમાં 3.2 ટકા વધવાનો અંદાજ છે, જે 1957 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. હવે અહીંની વસ્તી 41 મિલિયન થઈ ગઈ છે. આ વસ્તી વધારામાં બહારથી આવતા વસાહતીઓએ ફાળો આપ્યો છે. કેનેડા સરકારના આ પગલાંથી ઇમિગ્રન્ટ્સ માટે દેશમાં નોકરી મેળવવી અને સ્થાયી થવું મુશ્કેલ બનશે. અગાઉ, વડા પ્રધાન ટ્રુડોએ કહ્યું હતું કે, “અમે કેનેડામાં કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ. અમે કંપનીઓ માટે કડક નિયમો રજૂ કરી રહ્યા છીએ જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ શા માટે કેનેડિયન કામદારોને પ્રથમ સ્થાને રાખી શકતા નથી.”

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here