Saturday, April 26, 2025
HomeGujaratAhmedabadદરબારોએ દલિતને વરઘોડો કાઢતા રોક્યો, આખરે પોલીસ બંદોબસ્તમાં નીકળી જાન

દરબારોએ દલિતને વરઘોડો કાઢતા રોક્યો, આખરે પોલીસ બંદોબસ્તમાં નીકળી જાન

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

હજુ થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર વીડિયો વહેતો થયો હતો જેમાં દરબારની જેમ ડ્રેસઅપ કરનાર દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો. હવે આજ દલિત સમાજના વરરાજાને લગ્ન દરમિયાન વરઘોડામાં ઘોડા પરથી ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી. ગાંધીનગરના માણસા તાલુકાના પારસા ગામ ખાતે આ બનાવ બન્ય હતો.અહેવાલો મુજબ રજપૂત સમાજના કેટલાક યુવકો આટલેથી જ નહોતા અટક્યા પણ તેમણે ઘોડાના માલિકને પણ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. તેમજ વરઘોડમાં વાગતા ડીજે મ્યુઝિકને પણ બંધ કરાવી દીધું હતું. જોકે આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી. જ્યારે જિલ્લા તંત્ર આ બનાવમાં શાંતિપૂર્ણ ઉકેલ આવે તે માટે પ્રયાસરત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.વરરાજાના સગાસંબંધીઓ મુજબ રવિવારે બપોરે જ્યારે પ્રશાંત ચમાર નામના વ્યક્તિની જાન પારસા ગામમાં પ્રવેશી અને વરઘોડો નીકળ્યો ત્યારે કેટલાક રજપૂત સમાજના યુવાનો અચાનક આવ્યા અને વરરાજા તેમજ તેના પરિવારને ધમકાવ્યા હતા. તેમણે કહ્યું કે ઘોડા પર બેસવાનો અધિકાર ફક્ત દરબાર સમાજને જ છે.જ્યારે ચમારના પિતરાઈ ભાઈ અશ્વિન સોલંકીએ અમારા સહયોગી અમદાવાદ મિરરને જણાવ્યું ‘જ્યારે અમારો વરઘોડો ગામમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે કેટલાક રજપૂત સમાજના યુવાનો ત્યાં આવ્યા અમને ધમકી આપી હતી. આ સાથે જ ઘોડાવાળાને તમાચો મારીને તાત્કાલીક જતુ રહેવા કહ્યું હતું નહીંતર તેના અને તેના ઘોડાના પગ ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ ડીજે જે વાહનમાં હતું તેને પણ બાળી નાખવાની ધમકી આપી હતી.’જેથી ત્યાં હાજર રહેલા લોકોએ પોલીસને મદદ માટે કોલ કરતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વરઘોડાને પોલીસ પ્રોટેક્શન પૂરુ પાડ્યું હતું. માણસા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.જે. પટેલે કહ્યું કે ‘તેમણે અમને બપોરે ફોન કર્યો હતો અને અમે તત્કાળ એક્શન લેતા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં કથિત ધમકી આપનારા યુવાનો નાસી છૂટ્યા હતા.’ જોકે આ મામેલ જિગ્નેશ મેવાણીએ પણ તક સાધી ફરી એકવાર રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.પોલીસના SC/ST સેલના ડી.વાય.એસ.પી. રાજેશ ભાવસારે કહ્યું કે ‘અમે ચાર કાર અને 30 જવાનોનું વરઘોડાને રક્ષણ આપ્યું હતું અને સમગ્ર વરઘોડા દરમિયાન હું પણ ખુદ પીઆઈ અને પીએસઆઈ સાથે ત્યાં હાજર રહ્યો હતો.’ જ્યારે સોલંકીએ કહ્યું કે, ‘કલેક્ટર, ડીવાયએસપી અને સરપંચ બધા જ અમારી મદદે આવ્યા હતા. તેમજ તેમણે વિધિવત વરઘોડો કાઢવા માટે અમે જણાવ્યું હતું અન ઘોડાવાળાને પણ પરત બોલાવ્યો હતો. આ સાથે જ આવા તત્વો ફરી અમને રંજાળે નહીં તે માટે પણ પૂરતી તકેદારી રાખી હતી.’આ અંગે ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ.કે. લાંગાએ કહ્યું કે, ‘ઘટનામાં તમામ સંબંધિત પક્ષો વચ્ચે બેઠક કરવામાં આવી હતી. જેના કારણે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. અમે આ પારસા ખાતે દરેક સમાજ વચ્ચે શાંતિ અને સુમેળ જળવાઈ રહે તેવું ઇચ્છીએ છીએ. તેમજ અમે દરેકને ભવિષ્યમાં કોઈપણ જાતના આવા પગલા ન લેવા માટે કડક સૂચના આપી છે.’

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img