Saturday, March 7, 2026
Homenationalદસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ: આરોગ્ય મંત્રાલય

દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ: આરોગ્ય મંત્રાલય

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

નવી દિલ્હી: રસીનો તાકીદે ઉપયોગ કરવાની ૩ જાન્યુઆરીએ મળેલી માન્યતાના દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા અમે સજ્જ છીએ એમ જણાવતાં કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું કે આ મામલે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો હશે.દરમિયાન, યુકેના નવા કોરોના સ્ટ્રેન સાર્સ-કોવિડ-ટૂનો ટૅસ્ટ વધુ ૨૦ જણમાં પૉઝિટિવ આવતા કુલ કેસનો આંક ૫૮ પર પહોંચ્યો હતો. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને કોરોના યોદ્ધાઓએ નામ નોંધાવવાની જરૂર નથી કેમ કે તેમની વિગતો પહેલીથી સિસ્ટમમાં ઉપલબ્ધ છે.ડ્રાયરનને મળેલા પ્રતિસાદ અને તે મારફતે મળેલી માહિતીને આધારે આરોગ્ય ખાતુ દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ છે, રસીકરણ ખરેખર ક્યારથી શરૂ કરવામાં આવશે? એ પ્રકારના પ્રશ્ર્નનો ઉત્તર આપતા ભૂષણે કહ્યું હતું કે આ મામલે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો હશે.દરમિયાન, દેશમાં કોરોનાના સક્રિય કેસના આંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

હાલને તબક્કે દેશમાં કોરોનાના ૨,૩૧,૦૩૬ સક્રિય કેસ છે જે અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ કેસના માત્ર ૨.૨૩ ટકા છે, એમ આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે ખાતે આ નવા કેસ નોંધાયા હતા.સંબંધિત રાજ્ય સરકાર દ્વારા આ તમામ વ્યક્તિઓને સિંગલ રૂમમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

સતત ૩૯ દિવસથી કોરોનાના દરદીઓ સાજા થવાનો દૈનિક દર કોરોનાના નવા કેસની સરખામણીએ વધુ રહ્યો હોવાને લીધે આ શક્ય બન્યું હોવાનું તેમણે કહ્યું હતું.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૩૭૫ કેસ નોંધાયા હોવાની સરખામણીએ કોરોનાના સાજા થયેલા દરદીઓની સંખ્યાનો આંક ૨૯,૦૯૧ જેટલો રહ્યો હતો જે કોરોનાના કુલ કેસમાં એકંદરે ૧૨,૯૧૭નો ઘટાડો દર્શાવતો હોવાનું તેમણે કહ્યું હતું.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના સાજા થયેલા દરદીઓનો આંક એક કરોડની નજીક એટલે કે ૯૯,૭૫,૯૫૮ પર પહોંચ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here