Sunday, February 23, 2025
Homenationalદિલ્હી-NCRમાં ફરી આંધી-તોફાન સાથે વરસાદ, સાંજે જ અંધારું થઈ ગયું

દિલ્હી-NCRમાં ફરી આંધી-તોફાન સાથે વરસાદ, સાંજે જ અંધારું થઈ ગયું

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

દિલ્હી-એનસીઆરમાં શનિવાર સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ અંધકાર છવાઈ ગયો હતો. રેતીના તોફાન અને ભારે પવન સાથે હળવો વરસાદ પણ પડ્યો હતો. હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે ઘરની બહાર નીકળેલા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દિલ્હી-એનસીઆરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. જોકે હવામાનમાં પલટાને કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડ્યો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આઈએમડીએ હવામાન અંગે એક ચેતવણી પણ જાહેર કરી છે. આઈએમડીએ એક એડવાઇઝરીમાં કહ્યું છે કે, ‘દિલ્હી-એનસીઆરમાં આગામી કલાકોમાં ધૂળ-આંધી અને ગાજવીજ સાથે વરસાદના આસાર છે. પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.આ પહેલાં સવારે હવામાન વિભાગે દિલ્હીવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળવાના આસાર આપ્યા હતા. અહીંનું લઘુતમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જે સામાન્ય તાપમાનથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે ભેજનો સ્તર 71 ટકા નોંધાયો હતો. શુક્રવારે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનને કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. ભારે પવનને કારણે ઘણી જગ્યાએ વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયાં હતાં. આંધી-તોફાનને કારણે સાંજે જ સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો. આંધી અને ભારે પવનને લીધે મેટ્રો અને વિમાન સેવા પર પણ અસર પડી છે. દિલ્હીમાં 18 વિમાનોના રૂટ ડાઇવર્ટ કરવા પડ્યાં છે.હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here