Saturday, May 31, 2025
HomeIndiaદેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્રના આશીર્વાદથી મહારાષ્ટ્રના નાથ : અજિત સાથે મંત્રાલય પહોંચ્યા :...

દેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્રના આશીર્વાદથી મહારાષ્ટ્રના નાથ : અજિત સાથે મંત્રાલય પહોંચ્યા : પ્રથમ કેબિનેટમાં દર્દીને ₹5 લાખની મદદ આપવાનો નિર્ણય

Date:

spot_img

Related stories

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...
spot_img

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 13 દિવસ બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસે 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આવું કરનાર તેઓ ભાજપના પ્રથમ નેતા છે. શપથ બાદ તેઓ પીએમ મોદી પાસે ગયા અને તેમને અભિનંદન પાઠવ્યા.ફડણવીસ બાદ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતાં પહેલાં તેમણે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનું નામ લીધું હતું. વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો. તેઓ રાજ્યના બીજા એવા નેતા છે જેઓ સીએમ બાદ ડેપ્યુટી સીએમ બન્યા છે.શિંદે પછી NCP નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેઓ છઠ્ઠી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. તેઓ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને ગઠબંધન સરકારોમાં ડેપ્યુટી સીએમ બનનાર મહારાષ્ટ્રમાંથી પ્રથમ નેતા બન્યા છે.શપથવિધિના અડધા કલાક બાદ ફડણવીસ, શિંદે અને અજિત મંત્રાલય પહોંચ્યા. પ્રથમ કેબિનેટ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે પુણેના દર્દી ચંદ્રકાંત શંકર કુર્હાડેની સારવાર માટે મુખ્યમંત્રી તબીબી રાહત ફંડમાંથી રૂ. 5 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5:31 વાગ્યે શપથ સમારોહ શરૂ થયો હતો, જે લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. ત્રણેય નેતાએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનની સામે મરાઠીમાં શપથ લીધા.પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી ઉપરાંત નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિત એનડીએ શાસિત 20 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીએમ અને ડેપ્યુટી સીએમ આ સમારોહમાં સામેલ થયા હતા.સીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું- અમારી ભૂમિકા બદલાઈ છે, અમારી દિશા નથી બદલાઈ. તમે એવી સરકાર જોશો, જે બધાને સાથે લઈ જશે. જો સમસ્યાઓ ઊભી થશે તો અમે સાથે મળીને રસ્તો શોધીશું અને મહારાષ્ટ્રને આગળ લઈ જઈશું. હાલમાં લાડલી બહેના યોજના હેઠળ 1500 રૂપિયા આપવામાં આવે છે, એ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. પહેલા આપણે આર્થિક સ્ત્રોતને મજબૂત કરીશું, પછી એને વધારીશું.7, 8 અને 9 ડિસેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર યોજાશે. વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી 9 ડિસેમ્બરે થશે અને કેબિનેટ નક્કી કરવામાં આવ્યું છે. આમાં વધુ ફેરફાર થશે નહીં. શિયાળુ સત્ર પહેલાં તમામ મંત્રીઓના શપથ લીધા બાદ પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here