Wednesday, March 11, 2026
HomeIndia'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં' સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન, પશ્ચિમ...

‘ધર્મના આધારે અનામત આપી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન, પશ્ચિમ બંગાળે કર્યો બચાવ

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળમાં અનેક જાતિઓને આપવામાં આવેલા ઓબીસીનો દરજ્જા પર સુનાવણી કરતાં સોમવારે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે, ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. કલકત્તા હાઈકોર્ટે 2010થી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવેલી અનામત રદ કરતાં આ નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે આ નિવેદન આપ્યું હતું.હાઈકોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અનામત ધર્મના આધારે આપી શકાય નહીં. જેની સામે દલીલ કરતાં રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ અનામત ધર્મના આધારે આપવામાં આવી નથી, પરંતુ તે પછાતપણાંના આધારે નિર્ધારિત કરવામાં આવી છે.કલકત્તા હાઈકોર્ટે 2010થી વિવિધ જાતિને ઓબીસીનો દરજ્જો ફાળવી આપવામાં આવેલી અનામત રદ કરી હતી. જેનો સરકારી નોકરીઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થોમાં દુરૂપયોગ થઈ રહ્યો હોવાનું જણાવી અનામતને ગેરકાયદે ઠેરવી હતી. હાઈકોર્ટના આ ચુકાદાને પડકારતાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.હાઈકોર્ટે એપ્રિલ, 2010 અને સપ્ટેમ્બર, 2010 વચ્ચે 77 કેટેગરીઓને આપવામાં આવેલી અનામતને રદ કરી દીધી હતી. તેણે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) (સેવાઓ અને પોસ્ટ્સમાં ખાલી જગ્યાઓનું અનામત) અધિનિયમ, 2012 હેઠળ ઓબીસી તરીકે અનામત માટેની 37 કેટેગરીને પણ રદ કરી હતી.હાઈકોર્ટના નિર્ણયને ખોટો ઠેરવતાં વરિષ્ઠ વકીલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, હાઈકોર્ટના આ નિર્ણયથી શાળા-કોલેજોમાં અભ્યાસ કરવા ઈચ્છુક લાખો વિદ્યાર્થીઓના અધિકારો પર અસર થશે. સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા યુવાનોને પ્રતિકૂળ અસર કરશે. જેથી આ મુદ્દે વચગાળાનો આદેશ આપવા અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવા અપીલ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે વિગતવાર સુનાવણી 7 જાન્યુઆરીના રોજ કરશે. 5 ઓગસ્ટના રોજ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઓબીસી સૂચિમાં સમાવિષ્ટ નવી જાતિઓની સામાજિક અને આર્થિક પછાત અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં તેમના અપૂરતા પ્રતિનિધિત્વ અંગેના આંકડાકીય માહિતી આપવા જણાવ્યું હતું.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here