Saturday, March 7, 2026
Homenationalનૂહ રમખાણો સુનિયોજિત હતા, કોઈ રાજકીય પક્ષની ભૂમિકા તપાસનો વિષય, ડે.સીએમનું મોટું...

નૂહ રમખાણો સુનિયોજિત હતા, કોઈ રાજકીય પક્ષની ભૂમિકા તપાસનો વિષય, ડે.સીએમનું મોટું નિવેદન

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

નૂહ રમખાણો મામલે દુષ્યંત ચૌટાલાએ વધારી સરકારની મુશ્કેલી, કહ્યું – વહીવટી અધિકારીઓ સ્થિતિનું અનુમાન લગાવવામાં નિષ્ફળ રહ્યા

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે નૂહ રમખાણોમાં જે પણ સામેલ હતા ભલે પછી તે સગીર હોય કે પુખ્ત કોઈ પણ દોષિતને નહીં છોડીએ

નૂહ રમખાણો મામલે ફરી એકવાર દુષ્યંત ચૌટાલાએ સરકાર સામે સવાલો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર નૂહમાં સ્થિતિનું સાચું અનુમાન લગાવવામાં જ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર પાસે  એવી માહિતી હતી કે ધાર્મિક સરઘસમાં 3200 લોકો જ જોડાશે પણ તપાસનો વિષય એ છે કે તેનાથી પણ વધારે હજારો લોકો ત્યાં કેવી રીતે પહોંચી ગયા અને કેવી રીતે વહીવટી અધિકારીઓ સ્થિતિ બગડશે તેવો અનુમાન જ ન લગાવી શક્યા? ડેપ્યુટી સીએમએ વહીવટી નિષ્ફળતાની વાત સ્વીકારતાં કહ્યું કે સરકારના અધિકારી કોઈપણ સ્થિતિનું યોગ્ય રીતે આકલન ન કરી શક્યા. આ તપાસનો મામલો છે. દુષ્યંત ચૌટાલાએ નૂહમાં થયેલા રમખાણો અંગે કહ્યું કે રાજ્ય સરકારે ત્રણથી સાત કલાકમાં સ્થિતિને કાબૂમાં લઈ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોકે અનેક રાજ્યો એવા છે જ્યાં આવા રમખાણો બેથી ત્રણ દિવસ સુધી કાબૂમાં આવતા નથી. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે નૂહ રમખાણોમાં જે પણ સામેલ હતા ભલે પછી તે સગીર હોય કે પુખ્ત કોઈ પણ દોષિતને નહીં છોડીએ. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે નૂહ રમખાણો સુનિયોજિત હતા. તેમાં કોઈ રાજકીય પક્ષનો હાથ છે કે નહીં તે વ્યાપક તપાસનો વિષય છે. જોકે એડીજીપી કાયદા વ્યવસ્થાના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે કોઈને હટાવવા કે લાવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. અમે ત્યાં આઈઆરબીની બટાલિયન કાયમીરૂપે નિયુક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સીએમ અનેકવાર એવા નિવેદનો આપી રહ્યા છે જેના લીધે સરકારની જ મુશ્કેલી વધી રહી છે જેના લીધે હરિયાણામાં ગઠબંધનવાળી સરકાર પર ખતરો તોળાતો દેખાઈ રહ્યો છે. 

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here