Saturday, May 3, 2025
HomeBusinessભારતમાં આર્થિક મંદીની ગંભીર અસર વર્તાઈ રહી છેઃ આઇએમએફ

ભારતમાં આર્થિક મંદીની ગંભીર અસર વર્તાઈ રહી છેઃ આઇએમએફ

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(ઇન્ટરનૅશનલ મોનિટરી ફન્ડ)ના નવા મૅનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જિયોરજીવાનું કહેવું છે કે હાલ સમગ્ર વિશ્વની ઇકૉનૉમી મંદીનો સામનો કરી રહી છે, પરંતુ ભારત જેવાં સૌથી મોટાં ઊભરતાં બજારની ઈકૉનૉમીમાં આ વર્ષે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.

ક્રિસ્ટાલિના જિયોરજીવાએ સંકેત આપ્યા કે ચારે બાજુ ફેલાયેલી મંદીનો અર્થ છે કે વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન વૃદ્ધિદર આ દશકની શરૂઆતથી અત્યાર સુધીના નિમ્નતમ સ્તરે પહોંચી જશે. ક્રિસ્ટાલિના જણાવ્યા પ્રમાણે વિશ્વનો ૯૦ ટકા હિસ્સો ઓછી વૃદ્ધિનો સામનો કરશે.

આઇએમએફના એમડીના રૂપમાં પ્રથમ ભાષણમાં ક્રિસ્ટાલિના જિયોરજીવાએ કહ્યું કે ‘બે વર્ષ પહેલાં વૈશ્વિક ઈકૉનૉમી સમકાલિક રૂપથી ઊંચાઈ તરફ જઈ રહી હતી, અને વિશ્વનો લગભગ ૭૫ ટકા હિસ્સો વધી રહ્યો હતો. હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીમાં છે. વર્ષ ૨૦૧૯માં મને લાગે છે કે વિશ્વના લગભગ ૯૦ ટકા ભાગમાં વૃદ્ધિ ઘટશે.’

તેમણે કહ્યું અમેરિકા અને જર્મનીમાં બેરોજગારીમાં ઐતિહાસિક ઘટાડો છે. તેમ છતાં પણ અમેરિકા, જાપાન અને વિશેષ રૂપથી યુરો ક્ષેત્રની વિકસિત અર્થવ્યવસ્થાઓમાં આર્થિક ગતિવિધિઓમાં નરમાઈ જોવા મળી છે. જોકે ભારત અને બ્રાઝિલ જેવા કેટલાંક ઊભરતાં બજારની અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે મંદીની વધુ સ્પષ્ટ અસર જોવા મળી રહી છે.

આઇએમએફના એમડીએ કહ્યું કે વૈશ્વિક વેપારની વૃદ્ધિ લગભગ અટકી ગઈ છે. આઇએમએફએ ઘરેલું માગ વધવાની શક્યતાઓના કારણે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૦.૩ ટકા ઘટાડી તેને ૭ ટકા કર્યું છે.

આ મહિને ક્રિસ્ટીન લાગાર્ડેના સ્થાન પર આઇએમએફનું ટોપ પદ સંભાળનાર ક્રિસ્ટાલિના જિયોરજીવાએ કહ્યું કે મુદ્રાઓ એક વાર ફરી મહત્ત્વની થઈ ગઈ છે અને વિવાદ ઘણા દેશો તથા અન્ય મુદ્દાઓ સુધી ફેલાયો છે.

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here