Wednesday, May 21, 2025
HomeWorldભારત 'યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ અટકાવી શકે છે..ભારત શાંતિ વાટાઘાટોમાં ભૂમિકા ભજવી શકે...

ભારત ‘યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ અટકાવી શકે છે..ભારત શાંતિ વાટાઘાટોમાં ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન

Date:

spot_img

Related stories

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...
spot_img

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બાદ હવે ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું છે કે, ‘રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.’ તેમણે શનિવાર (આઠમી સપ્ટેમ્બર) સેર્નોબિયોમાં એમ્બ્રોસેટી ફોરમમાં આ વાત કહી હતી. જ્યારે ઈટાલીના વડાંપ્રધાન આ ટિપ્પણી કરી ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા. ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સંબોધન દરમિયાન કહ્યું, ‘તે સ્પષ્ટ છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થશે તો સંઘર્ષ અને સંકટ વધુ વધશે. પરંતુ એ પણ સ્પષ્ટ છે કે જેમ જેમ સંકટ આગળ વધશે તેમ વૈશ્વિક અર્થતંત્રને અસર થશે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું ઉલ્લંઘન અને આર્થિક વૈશ્વિકરણ એકસાથે ન જઈ શકે. મારું માનવું છે કે ચીન અને ભારત યુદ્ધને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઈટાલી માટે યુક્રેનને સમર્થન આપવાની પસંદગી એ રાષ્ટ્રીય હિતની પ્રથમ અને અગ્રણી પસંદગી છે, અને તે એક એવી પસંદગી છે જે બદલાશે નહીં.’

પીએમ મોદી યુક્રેનની મુલાકાતે :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23મી ઓગસ્ટે યુક્રેનની મુલાકાત દરમિયાન યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને રશિયા સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોએ યુદ્ધ સમાપ્ત કરવામાં વિલંબ ન કરવો જોઈએ. નોંધનીય છે કે, વર્ષ 1991માં યુક્રેન સોવિયત સંઘથી અલગ થઈને અલગ દેશ બન્યા પછી ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હતી. યુક્રેનથી પરત ફર્યા બાદ તરત જ વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને તત્કાલીન રશિયના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, ‘આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંકટનો ઉકેલ શોધવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઈસ્તાંબુલ વાટાઘાટો દરમિયાન જે સમાધાનો પર સહમત થયા હતા અને જે અમલમાં ન આવી શક્યા તે ભાવિ શાંતિ ચર્ચાનો આધાર બની શકે છે.’ પુતિને ભારત સહિત યુક્રેન સંઘર્ષ પર તેમની સાથે સંપર્કમાં રહેલા ત્રણ દેશોના નામ આપ્યા હતા.

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here