Sunday, February 23, 2025
Homenationalમોદી કેબિનેટે ટ્રિપલ તલાક પરના વટહુકમને આપી મંજૂરી, કોંગ્રેસ-ભાજપે કર્યા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

મોદી કેબિનેટે ટ્રિપલ તલાક પરના વટહુકમને આપી મંજૂરી, કોંગ્રેસ-ભાજપે કર્યા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે ટ્રિપલ તલાકના મુદ્દે વટહુકમ પાસ કરી દીધો છે. ટ્રિપલ તલાક બિલ છેલ્લાં બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. સૂત્રોના જણાવ્યા મુજબ એવામાં હવે કેબિનેટે આ મુદ્દે અધ્યાદેશ પાસ કરી દીધો છે. આ વટહુકમ 6 મહિના સુધી લાગુ રહેશે, જે બાદ સરકારે ફરીથી તેને બિલ તરીકે પાસ કરાવવા માટે સંસદમાં રજૂ કરવું પડશે.કેબિનેટની બેઠકની જાણકારી આપતાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે અમારી સામે 430 ટ્રિપલ તલાકના કેસ આવ્યાં છે, જેમાંથી 229 સુપ્રીમ કોર્ટના ચુકાદાની પહેલાં અને 201 સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીના છે. અમારી પાસે ટ્રિપલ તલાકના મામલા અંગે પૂરતાં પુરાવાઓ પણ છે. જેમાં સૌથી વધુ મામલા (120) ઉત્તર પ્રદેશથી છે.
– રવિશંકર પ્રસાદે કોંગ્રેસને આ મુદ્દે આડે હાથ લીધું હતું. તેઓએ કહ્યું કે અમે આ બિલને વારંવાર પાસ કરવાના પ્રયાસો કર્યાં. લગભગ 5 વખત કોંગ્રેસને સમજાવવાના પ્રયાસો પણ કર્યાં પરંતુ વોટબેંકના ચક્કરમાં કોંગ્રેસે તેને પાસ કરવા ન દીધું. કોંગ્રેસ આ મુદ્દે વોટબેંકની રાજનીતિ કરે છે.
– તેઓએ અપીલ કરતાં કહ્યું કે સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને માયાવતીએ આ મુદ્દે સરકારનો સાથ આપવો જોઈએ.

કોંગ્રેસે કર્યો સરકાર પર વાર

– ટ્રિપલ તલાક બિલ પર વટહુકમ પાસ થતાંની સાથે જ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર મુસ્લિમ મહિલાઓને હક અપાવવાના પક્ષમાં નથી. અમે ઈચ્છીએ છીએ કે મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે. ભાજપ આ મુદ્દે રાજકારણ રમી રહ્યું છે.

ટ્રિપલ તલાક બિલને બે વખત રાજ્યસભામાં પસાર કરાયું હતું

– ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકાર ઘણી જ આક્રમક રહી છે, તેના માટે સરકાર દ્વારા બિલ પણ રજૂ કરાયું હતું. જો કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોના વિરોધ બાદ આ બિલમાં સંશોધન કરાયું હતું.
– સંશોધન બાદ પણ આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. જો કે લોકસભામાં આ બિલ પહેલાં જ પાસ થઈ ચુક્યું છે. ટ્રિપલ તલાક બિલ આ પહેલાં બજેટ સત્ર અને મોનસૂન સત્રમાં રજૂ થયું હતું, પરંતુ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું.

– ભાજપ તરફથી સતત કોંગ્રેસ પર ટ્રિપલ તલાક બિલને અટકાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન મોદી પણ કોંગ્રેસ પર નિશાન સાધી ચુક્યું છે.
– નવા બિલમાં ટ્રિપલ તલાક (તલાક-એ-બિદ્દત)ના મામલાને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે પરંતુ સંશોધન મુજબ હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર છે.

સંશોધિત ટ્રિપલ તલાક બિલમાં ખાસ શું છે?

– ટ્રાયલ પહેલાં પીડિતાનો પક્ષ સાંભળીને મેજીસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે.
– પીડિતા, પરિવાર અને લોહીના સંબંધીઓ હોય તેવાં લોકો જ FIR દાખલ કરાવી શકે છે.
– મેજીસ્ટ્રેટને પતિ-પત્ની વચ્ચે સમજૂતી કરાવીને લગ્ન બરકરાર રાખવાનો અધિકાર હશે.
– એક વખતમાં ટ્રિપલ તલાક બિલની પીડિત મહિલા વળતરની અધિકાર છે.

વિભિન્ન રાજ્યોમાં અત્યાર સુધી જાન્યુઆરી 2017થી સપ્ટેમ્બર 2018 સુધી ટ્રિપલ તલાકના કેસ

બિહાર- 19
ઝારખંડ- 34
મધ્યપ્રદેશ- 37
મહારાષ્ટ્ર- 27
તેલંગાણા- 10
દિલ્હી- 1
હરિયાણા- 4

/NAT-HDLN-modi-cabinet-approves-ordinance-making-triple-talaq-a-punishable-offense-gujarati-news-
/NAT-HDLN-modi-cabinet-approves-ordinance-making-triple-talaq-a-punishable-offense-gujarati-news-

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here