Friday, May 2, 2025
HomeGujaratAhmedabadરાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ 101 બાળકોને ભરખી ગયો

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ 101 બાળકોને ભરખી ગયો

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસને લઈને વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્ન સામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી છે. તેમણે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ હાલની પરિસ્થિતિને લઈને કેસ અંગેની આંકડાકિય માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદ્દતના પ્રશ્નમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘છેલ્લામાં છ દિવસમાં વાયરસથી સંક્રમિત એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે છેલ્લા 12 દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ નીપજ્યું નથી. રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. ગુજરાતમાં વર્ષ 2024માં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 164 કેસ નોંધાયા છે, જે પૈકી 61 કેસ ચાંદીપુરા પોઝીટીવ જણાયા છે.’

ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકારની કામગીરી :

ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે. રાજ્યમાં શંકાસ્પદ અને પોઝીટીવ જણાયેલ અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારો મળીને 53999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યના 746927 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી સહિત 157074 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોની 31563 શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 8649 શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં બાળકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 36150 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 8696 આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ 164 વાયરલ એન્કેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી 73 બાળકોના દુ:ખદ મૃત્યું નિપજ્યા છે. જ્યારે ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યું નીપજ્યાં છે. વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ કેસ પૈકી 88 બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here