Monday, February 24, 2025
HomeGujaratAhmedabadલતિફના પૂર્વ સાગરિત નાઝિર વોરા પર ફાયરિંગ

લતિફના પૂર્વ સાગરિત નાઝિર વોરા પર ફાયરિંગ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

રવિવારે સવારે લઘુમતિ કોમનો વિસ્તાર ગણતા જુહાપુરામાં લતિફ ગેંગના સભ્યની હત્યા કરવામાં આવી છે. 3 શખ્સોએ 50 વર્ષીય નાઝિર વોરા પર ત્રણ રાઉંડ ફાયરિંગ કર્યું. નાઝિર બાગ-એ-નિશાત સોસાયટીમાં રહેતો હતો. અને તે તેના ઘર પાસે આવેલી મસ્જિદમાં સોસાયટીના વૉચમેન સાથે નમાજ પઢવા જતો હતો ત્યારે આ ઘટના બની. ભાગતી વખતે નાઝિરના ઘૂંટણ અને હાથમાં ગંભીર ઈજા થઈ છે. આ ઘટના બાદ જૂની દુશ્મનીના કારણે ગેંગવૉર થવાની શક્યતા છે.નાઝિર વૉરાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, “અમે મસ્જિદ જતા હતા ત્યારે એક કારે પાછળથી મારા સ્કૂટરને ટક્કર મારી. હું અને વૉચમેન સ્કૂટર પરથી નીચે પડ્યા ત્યારે 3 બુકાનીધારીઓએ મારી સામે રિવોલ્વર તાકી. તેમને જોતા જ હું ભાગવા લાગ્યો ત્યારે તેમણે મારી પર બે રાઉંડ ગોળીબાર કર્યો. હું ફરી પડ્યો અને મસ્જિદની પાસે જ આવેલા મારી બહેનના ઘરમાં ઘૂસી ગયો. હું ત્યાં આશરે 10 મિનિટ રોકાયો. ઘરની બહાર નીકળ્યો ત્યારે વૉચમેને કહ્યું કે 3માંથી 1 શખ્સે મને રિવોલ્વર મારી. જો કે તેના સાથીદારે વૉચમેનને છોડી દેવાનું કહ્યુંએક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “નાઝિરના ઈતિહાસને જોતાં ગેંગવૉરની શક્યકા નકારી ન શકાય. એવું લાગે છે કે દુશ્મન ગેંગના કોઈ સભ્યએ નાઝિર પર ફાયરિંગ કર્યું હતું.” નાઝિર વોરાને અબ્દુલ વહાબનો જમણો હાથ માનવામાં આવતો હતો. અબ્દુલ વહાબ અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતિફનો સાથી છે. જો કે નાઝિરે પોતાનો ધંધો શરૂ કરવા માટે અબ્દુલ વહાબ સાથે છેડો ફાડી નાખ્યો જેના કારણે બંને વચ્ચે દુશ્મનાવટ થઈ. 2012માં પણ વહાબ ગેંગના સભ્યએ નાઝિર પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img