Sunday, June 8, 2025
HomeIndiaવક્ફ બિલ પર અસદ્દુદ્દીન ઓવૈસીનું સરકાર પર નિશાન : 'તમે મુસ્લિમોના દુશ્મન...

વક્ફ બિલ પર અસદ્દુદ્દીન ઓવૈસીનું સરકાર પર નિશાન : ‘તમે મુસ્લિમોના દુશ્મન છો, આ બિલ તેનો પુરાવો છે…’,

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

Waqf Act Amendment Bill: વક્ફ બૉર્ડ બિલ પર ચર્ચામાં ભાગ લેતાં અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં. તેમણે સરકારને કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો છે. આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને પોતાની આસ્થા માટે સમાન તક આપે છે. આખરે આ બિલને લાવવાની જરૂર જ શું છે. મંદિરોની સમિતિઓમાં કોઈ બિન-હિંદુ નથી તો પછી વક્ફ સંપત્તિમાં તેની શું જરૂર છે. આવું જ તમારી સરકાર ખ્રિસ્તીઓ અને શિખોની સાથે પણ કરી રહી છે. યુપીની સહરાનપુર લોકસભા બેઠકથી કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે પણ આ મુદ્દે આકરા પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આ બિલ કાયદાનું ઉલ્લંઘન કરે છે. બંધારણ વિરુદ્ધ છે. ઇમરાન મસૂદે કહ્યું કે સરકાર તરફથી તર્ક આપવામાં આવી રહ્યો છે કે વક્ફ બૉર્ડ સંસ્થા છે અને આ કોઈ ધાર્મિક સ્થળ નથી. આ વાત ખોટી છે કેમ કે દેશમાં વક્ફ બૉર્ડ જ મસ્જિદો, દરગાહો અને અન્ય મુસ્લિમ સંસ્થાની દેખરેખ કરે છે. તેમની સંપત્તિઓની સારસંભાળ રાખે છે. તેથી આને મુસ્લિમોની ધાર્મિક બાબતોથી અલગ દર્શાવી શકાય નહીં.

હાર્યા છે, તેથી આવું બિલ લઈ આવ્યા :
આ ચર્ચામાં અખિલેશ યાદવે પણ ભાગ લીધો અને કહ્યું કે વક્ફ બૉર્ડમાં કોઈ બિન-મુસ્લિમને સામેલ કરવાનું કારણ શું છે. જો આપણે જિલ્લાધિકારીને જ બધું સોંપી દઈએ તો શું થઈ શકે છે. તમે તેને સમજી શકો છો. એક સ્થળે આવું થયું હતું અને પછી જિલ્લાધિકારીએ શું કર્યું, તમે સૌ જાણો છો. આ બિલ એટલા માટે લવાઈ રહ્યું છે કેમ કે તાજેતરમાં જ આ લોકો હાર્યા છે. પોતાના અમુક કટ્ટર સમર્થકોના તુષ્ટિકરણ માટે આવું બિલ લાવવામાં આવી રહ્યું છે. આ બિલનો ડીએમકે, ટીએમસી, શરદ પવારની એનસીપી જેવી પાર્ટીઓએ પણ વિરોધ કર્યો છે.

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here