Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadવડોદરાના શિરોલા ગામે ટ્રક-પિકઅપ વાન વચ્ચે અકસ્માત, 3 લોકોનાં મોત

વડોદરાના શિરોલા ગામે ટ્રક-પિકઅપ વાન વચ્ચે અકસ્માત, 3 લોકોનાં મોત

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ડભોઇ તાલુકાના શિરોલા ગામ પાસે આજે બપોરે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. અને એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં કચ્ચરઘાણ થઇ ગયેલી પિકઅપ વાન અને ટ્રક નીચે દબાઇ ગયેલા મૃતદેહોને જે.સી.બી.ની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.મૃતદેહોને વાહનોની નીચેથી બહાર કાઢવા જે.સી.બી.ની મદદ લેવાઈ

પ્રાપ્ત વિગત અનુસાર ડભોઇ તાલુકાના શિરોલા ગામ પાસે આજે બપોરે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર સર્જાયેલા આ અકસ્માતમાં પિકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બનાવમાં મોતને ભેટેલા 3 વ્યક્તિઓના મૃતદેહોને વાહનોની નીચેથી બહાર કાઢવા જે.સી.બી.ની મદદ લેવામાં આવી હતી. અકસ્માતના પગલે શિરોલા ગામના લોકો તેમજ પસાર થઇ અન્ય વાહન ચાલકો દોડી ગયા હતા. અને બચાવ કામગીરી કરી હતી.આ ગોઝારા અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા વ્યક્તિને ડભોઇ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં તુરતજ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ પોલીસે મૃતકો ક્યાંના રહેવાસી અને અને ક્યાંથી ક્યાં જતા હતા. તે અંગે તપાસ હાથ ધરી છે. હાલમાં ડભોઇ પોલીસે અક્સમાત મોતનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આજે બપોરે બનેલા આ બનાવે શિરોલા ગામ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી હતી.

/MGUJ-VAD-HMU-LCL-three-killed-in-road-accident-near-shirola-village-of-vadodara-gujarati-new
/MGUJ-VAD-HMU-LCL-three-killed-in-road-accident-near-shirola-village-of-vadodara-gujarati-new

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here