Monday, February 24, 2025
HomeIndiaવન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત.. મોદી સરકારવસ્તી ગણતરીની સાથે આ મોટા...

વન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત.. મોદી સરકારવસ્તી ગણતરીની સાથે આ મોટા નિર્ણય લઈ શકે છે

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

મોદી સરકારે દશવર્ષીય વસતી ગણતરી કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે આ પ્રક્રિયામાં જાતિ સંબંધિત ‘કોલમ’ સામેલ કરવાને લઈને હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જાણકારી અનુસાર ટૂંક સમયમાં દશવર્ષીય વસતી ગણતરી કરાવવામાં આવશે.1881થી દેશમાં દર વર્ષે વસતી ગણતરી કરાવવામાં આવે છે. પહેલી વસતી ગણતરીનો તબક્કો 1 એપ્રિલ, 2020 એ શરૂ થવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે આને સ્થગિત કરવો પડ્યો હતો. સરકાર માટે અત્યારે વસતી ગણતરી કરાવવી ખૂબ વધુ જરૂરી છે કેમ કે સરકારના ઘણા નવા કાયદા અને એક્ટ આ સાથે જોડાયેલા છે.

ગયા વર્ષે સંસદ દ્વારા પાસ મહિલા અનામત અધિનિયમનો અમલ પણ દશવર્ષીય વસતીગણતરી સાથે જોડાયેલો છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત કરવા સંબંધિત કાયદો આ એક્ટના લાગુ થયા બાદ થનારી પહેલી વસતી ગણતરીના સંબંધિત ડેટાના આધારે સીમાંકનની પ્રક્રિયા શરૂ થયા બાદ લાગુ થશે. નવા આંકડા ના હોવાના કારણે સરકારી એજન્સીઓ હજુ પણ 2011ની વસતી ગણતરીના આંકડા પર નિર્ભર છે. તેઓ તેના આધારે નીતિઓ બનાવી રહ્યાં છે અને સબસિડી ફાળવી રહ્યાં છે. પહેલા વસતી ગણતરી અંતર્ગત ઘરોની યાદી બનાવવાનો તબક્કો અને રાષ્ટ્રીય વસતી નોંધણી (NPR)ને અદ્યતન કરવાનું કાર્ય 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2020 સુધી થવાનું હતું પરંતુ કોરોનાના કારણે આને સ્થગિત કરી દેવાયું હતું.

NPR નું કાર્ય પૂરું થશે :

અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર વસતી ગણતરી અને એનપીઆર પ્રક્રિયા પર સરકારના 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થઈ શકે છે. આ વખતે ડિજિટલ વસતી ગણતરી થશે. આ દરમિયાન આધાર કે મોબાઈલ નંબર ચોક્કસપણે એકત્ર કરવામાં આવશે. આ વખતની વસતી ગણતરી સરકાર રાષ્ટ્રીય વસતી ગણતરી રજિસ્ટર (NPR) નું કાર્ય પણ પૂરું કરી શકશે.PM મોદીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર પોતાના વર્તમાન કાર્યકાળમાં વન નેશન, વન ઈલેક્શનની નીતિ લાગુ કરી શકે છે. સરકાર આ નીતિને લઈને આશાવાદી છે. વર્ષની શરૂઆતમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા એક રિપોર્ટ રજૂ કર્યા બાદ વન નેશન, વન ઈલેક્શનની પ્રક્રિયા જોર પકડી રહી છે. પેનલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના ખ્યાલનું જોરદાર સમર્થન કર્યું.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here