Sunday, May 4, 2025
HomeWorldશેખ હસીના ના પુત્રએ દાવો કર્યો કે તેની માતા એ રાજીનામુ આપ્યું...

શેખ હસીના ના પુત્રએ દાવો કર્યો કે તેની માતા એ રાજીનામુ આપ્યું નથી : હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

Sajeeb Wazed on Mother Sheikh Hasina: ભારે હિંસા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભારતમાં શરણ લીધી છે.રાજીનામું આપવા માટે પૂરતો સમય ન આપ્યા હોવાના દાવા બાદ હવે બાંગ્લાદેશના PM શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદનું એક નિવેદન સામે આવ્યુ છે. પુત્ર સાજીબે દાવો કર્યો છે કે, શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યુ. આ અર્થમાં, સત્તાવાર રીતે તેઓ હજુ પણ વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે,મારી માતાને રાજીનામું આપવાનો સમય નહોતો મળ્યો અને તાત્કાલિક ભારત આવવું પડ્યું. 5 ઓગસ્ટના રોજ અહેવાલ અનુસાર શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભાગી ગયા છે.વાજેદે કહ્યું કે બંધારણ મુજબ શેખ હસીના હજુ પણ વડાપ્રધાન છે. માતાએ જાહેર નિવેદન જારી કરવાની અને પછી રાજીનામું આપવાની યોજના બનાવી હતી પરંતુ, ત્યાર બાદ વિરોધીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. ત્યારે સમય બચ્યો ન હતો. માતાએ તેનો સામાન પણ બાંધ્યો ન હતો.મહત્વનું છે કે, બાંગ્લાદેશમાં આરક્ષણ વિરુદ્ધ આંદોલને હિંસક અને રાજકીય-સાંપ્રદાયિક સ્વરૂપ લીધા બાદ શેખ હસીના ભારત ભાગી ગયા હતા. તેમના પુત્રએ પણ દાવો કર્યો છે કે, વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ પરત જશે પરંતુ તે ક્યારે બાંગ્લાદેશ પરત ફરશે તે જણાવ્યુ નથી. વાજેદે કહ્યું કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનના રાજીનામા વિના સંસદ ભંગ કરી દીધી. રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટ દ્વારા પણ બદલી શકાય છે. વાજેદ શેખ હસીનાના રાજકીય સલાહકાર છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ બાંગ્લાદેશમાં ચૂંટણી થશે ત્યારે આવામી લીગ (Awami League) પણ ચૂંટણી લડશે. તેમણે આવામી લીગની વાપસીનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે.

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here