Sunday, April 20, 2025
HomeGujaratસુરત પાલિકામાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય : નાના ભૂલકાઓ ગંદા...

સુરત પાલિકામાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય : નાના ભૂલકાઓ ગંદા પાણીમાંથી અવર-જવર કરવા મજબૂર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય હોવાની ફરિયાદ બહાર આવી છે. જહાંગીરપુરા આવાસ ખાતેની આંગણવાડીમાંથી પાણી ટપકે છે અને પંખા પણ બંધ છે. ગરીબ બાળકો અને સગર્ભા મહિલા-ધાત્રી બહેનો આવે છે તે જગ્યાએ વાયરીંગ બળી ગયું છે અને અકસ્માતની ભીતિ છે. જો પાલિકા તાત્કાલિક પગલાં નહી ભરે તો લોકોના જીવ સામે જોખમ રહેલું છે. લોકોની મિલકતમાં ખામી હોય તો લોકોને નોટિસ ફટકારતા સુરત પાલિકાની જ કેટલીક મિલકત જર્જરિત હોવા ઉપરાંત અકસ્માત સર્જે તેવી થઈ રહી છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા સ્થિત સાંઈ વિલાની સામે પાલિકાની આંગણવાડી આવેલી છે. તેની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. આ ઉપરાંત સ્લેબમાંથી ઈલેક્ટ્રીક વાયરીંગ બળી ગયું છે. આંગણવાડીમા પંખા પણ ચાલતા નથી. આ જગ્યાએ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી બહેનો કેવી રીતે આંગણવાડીમાં આવીને બેસે છે. આવા સંજોગોમાં અકસ્માત થવાની ભીતિ છે. તેથી તાત્કાલિક પગલાં ભરવા માટેની માંગણી કરવામાં આવી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાલિકાના આવાસમાં લગભગ 15 ટાવરમાં 500-600ની વસ્તી છે. તમામ શ્રમજીવીઓ આખો દિવસ મજૂરી કરી રોટલો કમાઈ ખાય છે. બાળકો આવાસમાં બનાવવામાં આવેલી મહાનગરપાલિકાની નંદઘર સ્કૂલ(આંગણવાડી)માં અભ્યાસ કરે છે. આંગણવાડી શાળાની બહાર કેટલાક દિવસોથી ગંદુ પાણી અને ટોયલેટનું પાણી બહાર આવે છે. અનેકવાર ફરિયાદ કરવા હોવા છતાં કોઈપણ પ્રકારનું કોર્પોરેશન તરફથી કાર્યવાહી કરવામાં આવતી નથી. રોજ સવારે નાના ભૂલકાઓ આવા ગંદા પાણીમાંથી અવર-જવર કરવા મજબૂર બન્યા છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here