Monday, February 24, 2025
HomeGujaratસૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ વચ્ચે રાજકોટ , દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 1,000...

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ વચ્ચે રાજકોટ , દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 1,000 ગામડાંમાં પાણી વિતરણ ઠપ્પ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે રાજકોટ સહિત દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 2,000 ગામોમાં જૂથ યોજના મારફતે અપાતા પાણીને વિપરીત અસર થઇ છે. માળિયાનાં ખીરઇ હેડ વર્કસમાં પાણી ભરાઇ જવાથી બે દિવસથી જળ વિતરણ બંધ છે. મોરબીનાં પીપળીયા હેડવર્કસની પણ ખરાબ સ્થિતિ છે. અન્ય કેટલીક જગ્યાએ હજુ વીજ પુરવઠો ચાલુ થયો નહીં હોવાથી એક હજારથી વધુ ગામડાઓમાં પાણી વિતરણ સ્થગિત થઇ ગયું છે. અલબત્ત પૂરનાં પાણી ઓસર્યા બાદ પાણી પુરવઠા બોર્ડની ધોવાઇ ગયેલી પાઇપ લાઇનની વિગતો બહાર આવશે. પાણી વિતરણનાં વિકલ્પમાં ટેન્કરની વ્યવસ્થા ગોઠવવાનું વિચારવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રનાં રાજકોટ, દ્વારકા અને જામનગર જિલ્લામાં એક બાજુ અતિવૃષ્ટિની સ્થિતિ જોવા મળે છે. અવિરત વરસાદને લીધે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તમામ જળાશયો ઓવરફલો છે. બીજીબાજુ પાણી પુરવઠાનાં અનેક હેડ વર્કસમાં પાણી ભરાયા છે. વીજ પુરવઠો પૂર્વવત નહીં થતાં જૂથ યોજના મારફતે ગામડામાં પાણી આપવાની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આ વિગતોના સંદર્ભમાં રાજકોટ પાણી પુરવઠા બોર્ડની પ્રાદેશિક કચેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, માળિયાનાં ખીરઇ હેડવર્કસમાંથી રાજકોટનાં મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લાનાં ગામોને પામી પહોંચાડવામાં આવે છે. પરંતુ હેડ વર્કસમાં પાણી ભરાઇ ગયું છે. વીજ પુરવઠો બંધ છે. મોરબીનાં પીપળીયા હેડ વર્કસમાં પણ પાણી ભરાઇ જતાં જૂથ યોજના હેઠળનાં ગામોને પાણી મળતું નથી. રાજકોટ ઝોન હેઠળનાં જિલ્લાઓમાં નર્મદાનું 150 એમએલડી પાણી આપવામાં આવતું હતું. તેના બદલે અત્યારે 50 ટકા પાણીનું વિતરણ ચાલુ છે. અલબત્ત સ્થાનિક કૂવાનાં તળ સાજા થઇ ગયા હોવાથી તેમજ બોર પુન: જીવિત થઇ જતાં પાણીનો પ્રશ્ન ગંભીર નથી. પરંતુ વરસાદી વિરામ બાદ વરાય નીકળતા પાણી વિતરણનું કામ ઝડપભેર શરૂ કરવું પડશે. સૌરાષ્ટ્રને જોડતી જૂથ યોજના હેટળની પાઇપલાઇનોને પણ ભારે વ્યાપકને લીધે અનેક સ્થળે ડેમેજ થઇ હોવાનું જણાવી જે વિસ્તારમાં ઝડપભેર વીજ પુરવઠો પુન: સ્થાપિત થશે. તેવા વિસ્તારોમાં પાણી વિતરણ પુન: શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here