
૧ ડિસેમ્બર એટલે ગીત જયંતિની પર્વ. ૫૧૬૨ મી ગીતા જયંતી નિમિત્તે ગીતા પરિવાર દ્વારા ૧૫ મી નવેમ્બર થી ૩૧ ડીસેમ્બર સુધી ગીતા જયંતી મહોત્સવ’૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૭૦ થી વધુ દેશોમાં વિવિધ કાર્યક્રમો જેવા કે શોભાયાત્રા, સંપૂર્ણ ગીતા પારાયણ, બાળકો માટે નાટ્ય મંચન , ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અમદાવાદમાં ગીતા પરિવાર દ્વારા સંપૂર્ણ l ગીતા પારાયણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો એ ભાગ લીધો હતો.
કાર્યક્રમ માં ૧૮ અધ્યાય નું પારાયણ, ગીતા જી ની આરતી, હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા.આ કાર્યક્રમ ને યશસ્વી બનાવવામાં ગીતા પરિવાર ના હાર્દિક ભાઈ, મેધા બહેન, યોગિની બહેન, કામિની બહેન, શ્વેતા બહેન, ચેતન ભાઈ, મદનલાલ ભાઈ અને સોસાયટી ના કમિટી સભ્યો નો ખુબ મોટો ફાળો છે . ભવિષ્યમાં આવા કાર્યક્રમો અમદાવાદ માં વધારે થાય એ સંકલ્પ કરીને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.


