Friday, September 4, 2026
Homenationalવડા પ્રધાન મોદીએ IIM સંબલપુરનો શીલાન્યાસ કર્યો

વડા પ્રધાન મોદીએ IIM સંબલપુરનો શીલાન્યાસ કર્યો

Date:

Related stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

નવી દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસાના સંબલપુરમાં શરૂ થનારી IIMનો શીલાન્યાસ વિડિયો કોન્ફરન્સ દ્વારા આજે સવારે કર્યો હતો. આ પ્રસંગે ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક પણ સમારોહમાં સહભાગી થયા હતા.નવીન પટનાઇક ઉપરાંત રમેશ પોખરિયાલ, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ ચંદ્ર સારંગી જેવા કેન્દ્રીય પ્રધાનો પણ હાજર હતા.આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે આ IIM ઓરિસાના યુવાનોના સામર્થ્યને સુદ્રઢ કરશે. આ શીલા અને અહીં સ્થપાનારો કાયમી કેમ્પસ ઓરિસાની મહાન સંસ્કૃતિ  અને સંસાધનોને વિશ્વ સમક્ષ મૂકવા ઉપરાંત મેનેજમેન્ટડ વિશ્વમાં ઓરિસાને નવી ઓળખ આપશે.આ કેમ્પસનું નિર્માણ કાર્ય 2022 સુધીમાં પૂરું કરવાની યોજના છે. આ ઇમારતમાં તમામ લેટેસ્ટ ટેક્નોલોજીકલ સુવિધાઓ હશે. વડા પ્રધાને આ કાર્યક્રમમાં યુવાનો અને સ્ટાર્ટ અપમાં રસ ધરાવતા સૌ કોઇને જોડાવાની હાકલ કરી હતી. આ IIM ફ્લીપ્ડ ક્લાસરૂમ શરૂ કરનારી પહેલી IIM બની રહેશે. વડા પ્રધાને દેશના વિકાસ કાર્યોમાં સંનિષ્ઠ પ્રદાન કરનારી તમામ IIMને બિરદાવી હતી. તેમણે કહ્યું કે વિદેશોમાં આપણા સેંકડો યુવાનો આવી IIMમાં તૈયાર થઇને જવાબદારી ભર્યા હોદ્દાઓ પર કાર્યરત છે. રાષ્ટ્રીય વિકાસમાં પણ IIM એ બહુ માતબર ફાળો આપ્યો હતો. આપણે આવી IIM સંસ્થાઓ માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ.તેમણે કહ્યું કે આજના સ્ટાર્ટ અપ આવતી કાલના સફળ ઉદ્યોગપતિ છે. એમના ઉત્સાહને આપણે વધારવાનો છે. સંબલપુર એક મોટો એજ્યુકેશન હબ બની રહ્યો હતો. ફાર્મિંગથી માંડીને સ્પેસ સેક્ટર સુધી સ્ટાર્ટ અપ્સનો સ્કોપ વધી રહ્યો હતો. વડા પ્રધાને કહ્યું કે લોકલને ગ્લોબલ બનાવવા માટે આઇઆઇએમના વિદ્યાર્થીઓએ નવા અને ઇનોવેટિવ સાધનો શોધવા પડશે. તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આઇઆઇએમ લોકલ ઉત્પાદકો અને ગ્લોબલ ઉત્પાદકો વચ્ચે કડી રૂપ બની શકે છે.  આ દાયકો દેશની પ્રગતિ માટે ઉત્તમ છે એવો અભિપ્રાય પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here