Tuesday, April 22, 2025
HomeGujaratલગ્નમાં આવેલો પરિવારની કારને ઉપલેટા પાસે નડ્યો અકસ્માત, એકનું કમકમાટીભર્યુ મોત

લગ્નમાં આવેલો પરિવારની કારને ઉપલેટા પાસે નડ્યો અકસ્માત, એકનું કમકમાટીભર્યુ મોત

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. તો બીજા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે.

ઉપલેટા :રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. તો બીજા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે.ભાયાવદરના ખારચીયા રોડ પર રેલવે ફાટક આગળની ગોળાઈ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. ધોરાજીના મોટી વાવડીનો જીવાણી પરિવાર ધોરાજીના સુપેડી ગામે લગ્ન પ્રસંગે આવ્યો હતો. કારમાં સવાર કોઈ સંબંધીને ઉપલેટાના ખારચીયા ગામે મુકવા જતા આ અકસ્માત થયો હતો. મોડી રાત્રે કાર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કાર રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. જેથી કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી એકનું કરૂણ મોત નિપજ્યુ હતું. બનાવમાં મૂળ મોટી વાવડી ગામના અને હાલ રાજકોટ રહેતા દીપભાઈ નવીનભાઈ જીવાણી નામના વ્યક્તિનું કરૂણ મોત નિપજયું છે. તો કારમાં સવાર અન્ય લોકો સાગર ચીમનભાઈ જીવાણી હાલ રાજકોટ તથા આશિષ જેનુભાઈ જીવાણી હાલ સુરત વાળાને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતાં ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અન્ય રમેશભાઈ જેનુભાઈ જીવાણી સુરતવાળાને સામાન્ય ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ભાયાવદર નગરપાલિકાની એમ્બ્યુલન્સ તેમજ જામકંડોરણાની એમ્બ્યુલન્સમાં ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. હાલ અકસ્માતનું કારણ જાણવા મળ્યુ નથી. પરંતુ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here