Sunday, March 8, 2026
Homenational2023ના અંતે ભારતમાં મુસ્લિમોની વસતી કેટલી હશે? લોકસભામાં સ્મૃતિ ઈરાનીએ આપ્યો આ...

2023ના અંતે ભારતમાં મુસ્લિમોની વસતી કેટલી હશે? લોકસભામાં સ્મૃતિ ઈરાનીએ આપ્યો આ જવાબ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

તેમણે દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર કર્યા હતા

7 વર્ષ અને તેનાથી વધુ વયના મુસ્લિમોમાં સાક્ષરતાનો દર 77.7 ટકા

ભારતમાં 2023ના અંત સુધીમાં મુસ્લિમોની વસતી 20 કરોડની આજુબાજુ થઈ જશે. લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફથી આ માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર કર્યા હતા. ખાસ વાત એ છે કે તાજેતરના આંકડા જણાવે છે કે ભારત વસતીની દૃષ્ટિએ દુનિયામાં ટોચના ક્રમે પહોંચી ગયું છે. 

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ માલા રૉય તરફથી લઘુમતી બાબતોના મંત્રાલય પાસે સંસદમાં ત્રણ સવાલોના જવાબ માગ્યા હતા. પ્રથમ- શું મુસ્લિમ વસતીને લઈને 30 જુલાઈ 2023 સુધીનો કોઈ ડેટા છે? બીજો – શું સરકાર પાસે પસમાંદા મુસ્લિમોની વસતીનો કોઈ ડેટા છે? ત્રીજો – 31 જુલાઈ 2023 સુધી પસમાંદા મુસ્લિમોની સામાજિક આર્થિક સ્થિતિ વિશે કોઈ માહિતી છે?   

વસતી પર આપ્યો આ જવાબ 

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે 2011ની વસતી ગણતરી અનુસાર મુસ્લિમોની વસતી દેશમાં 17.22 કરોડ હતી જે દેશની વસતીની 14.2 ટકા થાય છે. ટેક્નિકલ ગ્રૂપ ઓન પોપ્યુલેશન પ્રોજેક્શનના જુલાઈ 2020ના રિપોર્ટ મુજબ 2023માં દેશની વસતી 138.82 કરોડ થવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. 2011ની વસતી ગણતરી એ જ પ્રમાણ 14.2 ટકા લાગુ કરતાં 2023માં મુસ્લિમ વસતી 19.75 કરોડ થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. 

શિક્ષણ પર મળ્યો આ જવાબ 

કેન્દ્રીયમંત્રીએ કહ્યું પીરિયોડિક લેબર ફોર્સ સરવે એટલે કે PLFS તરફથી 2021-2022માં કરાયેલા સરવેના હવાલાથી મુસ્લિમ વસતીની શિક્ષણની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 7 વર્ષ અને તેનાથી વધુ વયના મુસ્લિમોમાં સાક્ષરતાનો દર 77.7 ટકા છે. જ્યારે દરેક વયનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 35.1 ટકા પર છે. વર્લ્ડ બેન્ક અનુસાર લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટનો અર્થ એ 15 વર્ષ કે તેનાથી વધુ વયની એ વસતી છે જે આર્થિક રીતે સક્રિય છે અને કામ કરે છે. 

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here