Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadપરપ્રાંતીયો પર હુમલા: નરોડા- ઓઢવ- કઠવાડા GIDCમાં પોલીસની ફ્લેગમાર્ચ, કામદારો સાથે કરી...

પરપ્રાંતીયો પર હુમલા: નરોડા- ઓઢવ- કઠવાડા GIDCમાં પોલીસની ફ્લેગમાર્ચ, કામદારો સાથે કરી મિટિંગ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ગુજરાતમાં પરપ્રાંતીય પર થતા હુમલા બાદ પરપ્રાંતીયો હિજરત કરી રહ્યાં છે. તેમજ શહેરમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો ન બને તે માટે અમદાવાદ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને ફ્લેગ માર્ચ કરી રહી છે. આજે સતત ચોથા દિવસે પોલીસ અમદાવાદના પૂર્વી વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. એસીપી સહિતના પોલીસ અધિકારીઓ નરોડા- ઓઢવ અને કઠવાડા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતીયો સાથે મિટિંગ કરીને તેમને કોઈપણ પ્રકારની ચિંતા ન કરવા અને ભયમુક્ત રહેવા માટે સમજાવ્યા હતા.

નરોડા- ઓઢવ- કઠવાડા જીઆઈડીસીમાં પોલીસની ફ્લેગ માર્ચ

અમદાવાદના પૂર્વી વિસ્તારોમાં આજે પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી. એસીપી સહિતના પોલીસ અધિકારીઓ 15 ગાડીઓ સાથે નરોડા જીઆઈડીસી, ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંગરવા-કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી અને ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું.

માનવ અધિકાર પંચે મુખ્ય સચિવ અને પોલીસ વડાને આપી નોટીસ

રાજ્યમાં હાલ ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા મામલે હવે માનવ અધિકાર પંચ પણ સક્રિય થયું છે. ઘટનાના 8 દિવસ બાદ સક્રિય થયેલા માનવ અધિકાર પંચે મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને નોટિસ પાઠવી છે. તેની સાથે સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પણ નોટીસ મોકલવામાં આવી છે. આ મામલે માનવ અધિકાર પંચે 20 દિવસની અંદર સંપૂર્ણ વિગતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

પરપ્રાંતીયો પરના હુમલાને લઈ શું કહ્યું હતું પોલીસ વડાએ

તાજેતરમાં પરપ્રાંતીયો પરના હુમલાઓ મામલે ડીજીપી શિવાનંદ ઝાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, હુમલાની ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે, પરપ્રાંતીય લોકો કામ કરતા હોય તે સ્થળે સુરક્ષામાં વધારો કરવામાં આવશે. તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

મુખ્ય સચિવે કડક પગલા લેવા આપી હતી સૂચનાઓ

જ્યારે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હુમલાઓ અટકાવવા અને કડક પગલા ભરવાની સૂચનાઓ આપી હતી.

news/MGUJ-AHM-HMU-LCL-non-gujarati-attacked-police-flag-march-in-odhav-naroda-kathwada-gidc-gujarati-news
news/MGUJ-AHM-HMU-LCL-non-gujarati-attacked-police-flag-march-in-odhav-naroda-kathwada-gidc-gujarati-news

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here