Saturday, March 1, 2025
HomeIndiaશિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના દોષિત મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી...

શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના દોષિત મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી જ ધરપકડ કરી

Date:

spot_img

Related stories

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું...

કલર્સ ”લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”: આ અઠવાડિયાના સર્કસ સ્પેશિયલ...

કલર્સ ''લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ" એક કુલિનરી સર્કસમાં ફેરવાઈ...

પ્રિયા ઠાકુર અને આયુષી ખુરાના એક રોમાંચક શૂટિંગ માટે...

ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...
spot_img

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના મામલે પોલીસે મૂર્તિકારની ધરપકડ કરી લીધી છે. આ પહેલા પણ પોલીસે ઘણા લોકો વિરુદ્ધ આ ઘટનાને લઈને કેસ નોંધ્યો છે. ખાસ વાત એ છે કે મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી જ ધરપકડ કરી છે. 26 ઓગસ્ટે ઉદ્ધાટનના થોડા મહિના બાદ જ મૂર્તિ ધરાશાયી થઈ ગઈ હતી. પોલીસે આપ્ટેની શોધ માટે 7 ટીમની રચના કરી હતી. આપ્ટેની બુધવારે તેના ઘરની બહારથી જ ધરપકડ કરી દેવાઈ છે. તે પોતાના પરિવારને મળવા પહોંચ્યો હતો. રિપોર્ટ અનુસાર પોલીસનું કહેવું છે કે આપ્ટેએ પત્ની સાથે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તે ઘરે પરત ફરી રહ્યો છે. તે બાદ પત્નીએ આ જાણકારી પોલીસને આપી દીધી. પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આપ્ટેનો પરિવાર ચિંતિત હતો અને ઈચ્છતો હતો કે આપ્ટે પાછો ફરીને તપાસમાં મદદ કરે. માલવણ પોલીસે શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ આપ્ટે અને સંરચના સલાહકાર ચેતન પાટિલ વિરુદ્ધ બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. પાટિલની ગયા અઠવાડિયે કોલ્હાપુરથી ધરપકડ કરી લેવાઈ હતી. આ ઘટનાના આરોપીઓની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા પ્રવીણ દારકરે કહ્યું, ‘જે લોકો અમારી સરકારની ટીકા કરી રહ્યાં હતાં તેને હવે પોતાનું મોઢું બંધ કરી લેવું જોઈએ. આ સત્ય છે કે પોલીસે જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં થોડો સમય લીધો. અમે ધરપકડનો શ્રેય લઈ રહ્યાં નથી પરંતુ પોલીસે પોતાનું કામ કર્યું છે.’ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી) નેતા સુષમા અંધારેએ કહ્યું, ‘રાજ્ય સરકારને આપ્ટેની ધરપકડનો શ્રેય લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કેમ કે આ સરકારની ફરજ છે. તે કોઈ ‘અંડરવર્લ્ડનો ડોન’ નહોતો. તેની પહેલા જ ધરપકડ કરી લેવાની હતી.’

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું...

કલર્સ ”લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”: આ અઠવાડિયાના સર્કસ સ્પેશિયલ...

કલર્સ ''લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ" એક કુલિનરી સર્કસમાં ફેરવાઈ...

પ્રિયા ઠાકુર અને આયુષી ખુરાના એક રોમાંચક શૂટિંગ માટે...

ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here