Saturday, September 5, 2026
HomeSportsCricketCSK-SRH વચ્ચે ફાઇનલ રમાશે?: આંકડા તો કંઈક આવું જ કહે છે

CSK-SRH વચ્ચે ફાઇનલ રમાશે?: આંકડા તો કંઈક આવું જ કહે છે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

આઇપીએલ-૧૧ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ગત ૨૨ મેએ ક્વોલિફાયર-૧માં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને બે વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. હવે વારો છે બીજી ટીમના ફાઇનલ પ્રવેશનો.

આજે રાત્રે ૭.૦૦ વાગ્યે ક્વોલિફાયર-૨માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાવાની છે. આજની મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચી જશે. જો જૂના આંકડા પર નજર કરીએ તો સાબિત થાય છે કે ક્રિકેટ ચાહકોને ચેન્નઈ-કેકેઆર વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૨૭ મેએ ફાઇનલ મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે.

હૈદરાબાદ પર ભારે પડે છે કેકેઆર
કેકેઆર અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૧૪ મેચ રમાઈ ચૂકી છે, જેમાં કોલકાતાના ધૂરંધરો હૈદરાબાદ પર ભારે પડતા નજરે પડ્યા છે. કેકેઆર ૧૪માંથી નવ મેચ, જ્યારે હૈદરાબાદ પાંચ મેચ જીતી શક્યું છે. આ ઉપરાંત કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકને આજની મેચમાં એક સૌથી મોટો ફાયદો થવાનો છે, કારણ કે તેની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર રમી રહી છે.

કેકેઆરની ટીમે ઈડન ગાર્ડન્સ પર અત્યાર સુધી છ મેચ રમી છે, જેમાંથી પાંચ મેચ જીતી લીધી છે. હૈદરાબાદ કોલકાતામાં ફક્ત એક જ મેચ જીતી શક્યું છે, જે વર્તમાન સિઝનમાં ૧૪ એપ્રિલે રમાઈ હતી. તેણે એ મેચમાં પાંચ વિકેટે કેકેઆરને પરાજય આપ્યો હતો.

નબળો સાબિત થયો છે હૈદરાબાદનો બેટિંગ ક્રમ
હૈદરાબાદ માટે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેણે પોતાના બેટિંગ ક્રમ પર ધ્યાન આપવું પડશે. ફક્ત બોલર્સ પર નિર્ભર ના રહેવું જોઈએ. તેનો બેટિંગ ક્રમ અત્યાર સુધી નબળો સાબિત થયો છે. કેપ્ટન વિલિયમ્સન (૬૮૫ રન) અને શિખર ધવન (૪૩૭) પર જ ટીમની બેટિંગ નિર્ભર રહે છે.

બીજી તરફ કેકેઆર પાસે કેપ્ટન દિનેશ કાર્તિક (૪૯૦ રન), ક્રિસ લીન (૪૪૩ રન), રોબિન ઉથુપ્પા (૩૪૯ રન), સુનીલ નરૈન (૩૩૧ રન) શુભમન ગિલ અને આન્દ્રે રસેલના રૂપમાં જબરદસ્ત બેટ્સમેન છે. જ્યારે બોલિંગમાં સુનીલ નરૈન (૧૬ વિકેટ), કુલદીપ યાદવ (૧૫), પિયૂષ ચાવલા (૧૩ વિકેટ), આન્દ્રે રસેલ (૧૩ વિકેટ) જેવા શાનદાર બોલર છે

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here