
દિનાંક 5-10-25 રવિવારના રોજ સાંજે 5.15 વાગે કૃતિકા વિદ્યાલય સામેના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-કૃષ્ણનગર નગરનો શ્રી વિજયાદશમી ઉત્સવનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શરૂઆતમાં મુખ્ય મહેમાનશ્રી દ્વારા શસ્ત્રપૂજન કર્યા બાદ ધ્વજ પ્રણામ અને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ, તદ્પશ્ચાત સંઘના પૂર્ણગણવેશધારી આશરે 222 સ્વયંસેવકો દ્વારા શાખામાં કરવામાં આવતા વિવિધ શારીરિક કાર્યક્રમો જેવાકે, ઘોષ (બેન્ડ), લાઠી દાવ, આસન પ્રાણાયામ, કરાટે, યોગવ્યાયામ વગેરેનું ડેમોસ્ટ્રેશન થયું હતું. ત્યારબાદ RSS નું ગીત થયું અને પછી મુખ્ય મહેમાનશ્રીનું ઉદબોધન થયું અને ત્યારબાદ સંઘના અધિકારીશ્રીનું વક્તવ્ય થયું અને છેલ્લે ધ્વજ પ્રણામ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. કાર્યક્રમ પૂર્ણ થયા પશ્ચાત શ્રોતાજનો અને સ્વયંસેવકો દ્વારા શસ્ત્ર પૂજન થયું.
આ કાર્યક્રમમાં કૃષ્ણનગરના પ્રતિષ્ઠિત વિદ્વતજનો, સામાજિક આગેવાનો, માતાઓ-બહેનો અને બાળકો મળીને કુલ 650 થી વધુ લોકો હાજર રહ્યા હતા…


