
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી 16 સપ્ટેમ્બરના રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે. આ નિર્ણય શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે સુવિધાજનક રહેશે.
સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે શાળાઓ ત્રણ કલાક વહેલી પૂર્ણ થઈ જશે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘ દ્વારા આ દિવસે રાજ્યવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યમાં શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ શકે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી શકે તે હેતુથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવ્યો છે.આ નિર્ણય દ્વારા શિક્ષણ વિભાગે શિક્ષકોના સામાજિક કાર્યોને પ્રોત્સાહન આપ્યું છે અને તેમને રક્તદાન જેવા ઉમદા કાર્યમાં ભાગ લેવા માટે પૂરતો સમય પૂરો પાડ્યો છે. આ આદેશનું પાલન કરવું તમામ પ્રાથમિક શાળાઓ માટે ફરજિયાત છે. આ જાહેરાત શિક્ષકો અને વાલીઓ બંને માટે રાહતરૂપ બની રહેશે.16 સપ્ટેમ્બર 2025 રોજ યોજાનાર ભવ્ય મહારક્તદાન શિબિર એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના કર્મચારીઓ દ્વારા માનવતાના મહાદાનનું એક ઉદાહરણ છે. આ શિબિરનું આયોજન ભારત સરકારના મહત્વકાંક્ષી ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા અને ગુજરાતના પનોતા પુત્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યું છે.


