
ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંલગ્ન મહાસંઘ અને અન્ય સંગઠનો સાથે તા ૧૦/૧૧/૨૫ ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે વિશાળ રેલી જનસભા અને એ કાર્યક્રમમાં રજુ થયેલ પ્રશ્નો સંદર્ભે ભારતીય મજદૂર સંઘ ના પ્રદેશ આગેવાનો અને વિવિધ મહાસંઘ દ્વારા રાજ્ય સરકાર નાયબ મુખ્ય મંત્રી શ્રી સહિત ના આઠ મંત્રી શ્રી ઓ ને એમના વિભાગ ને લગતા પ્રશ્નો ના આવેદનપત્રો આપવામાં આવ્યા હતા એ પૈકી ત્રણ કેબિનેટ મંત્રી શ્રી ઓ એ તુર્ત જ આ આવેદનપત્રો સંદર્ભે પ્રાથમિક બેઠક આપી ખાસ કરીને શ્રમ અને રોજગાર વિભાગ ના પ્રશ્નો આંગણવાડીના પ્રશ્ન , પીએમ પોષણ શકિત નિર્માણ યોજના પ્રશ્નો ની ચર્ચા ભારતીય મજદૂર સંઘ ના પ્રદેશ અઘ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ મજુમદાર મહામંત્રી શ્રી ગીરીશભાઈ પટેલ ઉપાધ્યક્ષ શ્રી ઓ રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા શ્રી શૈલેષભાઈ જોશી નૌશાદ ભાઈ નિશાંત અને જેતે સંગઠન ના પ્રદેશ અઘ્યક્ષ મહામંત્રી ને સાથે રાખીને શ્રમ મંત્રી શ્રી કુંવરજી ભાઈ બાવળીયા સાથે શ્રમ અને રોજગાર વિભાગ ના પ્રશ્નો શ્રી પ્રદ્યુમન ભાઈ વાજા શિક્ષણ મંત્રી શ્રી સાથે પીએમ પોષણ શકિત નિર્માણ યોજના ના પ્રશ્નો અને શ્રીમતી મનીષા બેન વકીલ સાથે આંગણવાડી ના પ્રશ્નો અને છેલ્લા દશ દિવસ થી અંગવવડી બહેનો દ્વારા ઓન લાઈન કામગીરી સંદર્ભે મોબાઇલ ની માંગણી સાથે ૩૦ હજાર જેટલા સીમ કાર્ડ પરત કરી કામગીરી બંધ ની હડતાળ ચાલી રહી હતી એ માનનીય મંત્રી શ્રી સાથે ની બેઠક બાદ ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ ની એ હડતાળ પણ ભારતીય મજદૂર સંઘ ની મધ્યસ્થી થી માનનીય મંત્રી શ્રી સાથે ની બેઠક બાદ સમેટી લેવાના આવી છે આમ તાકીદ ના પ્રશ્નો ની ચર્ચા અને મહત્વના પ્રશ્ન માટે હકારાત્મક વલણ દર્શાવાયું હતું મંત્રીશ્રીઓ દ્વારા અને આશા અપેક્ષા છે કે જલદી બાકી ના પ્રશ્નો અંગે રાજ્ય સરકાર બેઠક બોલવી વિવિધ સંગઠન ના પ્રશ્નો અંગે ભારતીય મજદૂર સંઘ અને સંલગ્ન સંગઠનો ના આગેવાનો ને બોલાવી સકારાત્મક માહોલ વચ્ચે આવેદનપત્રો મારફતે રજૂ થયેલ પ્રશ્નો નો સુખદ નિકાલ લાવશે


