
મુંબઈ: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે બજાજ ફિનસર્વ લો ડ્યુરેશન ફંડના લોન્ચની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ લો ડ્યુરેશન ડેટ સ્કીમ છે, જે લિક્વિડિટી અને લવચીકતા સાથે ટૂંકા ગાળાની આવક ઈચ્છતા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવી છે. ન્યૂ ફંડ ઑફર (એનએફઓ) 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ખુલશે અને 16 ફેબ્રુઆરી 2026 ના રોજ બંધ થશે.
ફંડના લોન્ચ અંગે વાત કરતાં, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ કંપની ના મુખ્ય રોકાણ અધિકારી, નિમેશ ચંદનએ જણાવ્યું, “લો ડ્યુરેશન ફંડ યિલ્ડ કર્વના શોર્ટ એન્ડ પર ઓછી અસ્થિરતા સાથે સતત રિટર્ન્સ ઈચ્છતા રોકાણકારો માટે એક ઑલ-વેધર સોલ્યુશન પ્રદાન કરે છે. જો કે પોલિસી રેટ્સ હાલમાં ન્યુટ્રલની નજીક છે, વ્યસ્ત ક્રેડિટ સીઝનને કારણે લિક્વિડિટી કડક રહેતાં ટૂંકા ગાળાની યિલ્ડ્સ ઊંચા સ્તરે છે, જે કોઈ મેક્રો સ્ટ્રેસને કારણે નથી. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, બહેતર રેટ ટ્રાન્સમિશન અને આરબીઆઇ દ્વારા સંતુલિત લિક્વિડિટી સપોર્ટથી દબાણમાં ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે એક્રૂઅલ આવક અને સંભવિત કેપિટલ ગેઇન મેળવવાની તક ઊભી થશે. આ ફંડ લિક્વિડિટી અને ડ્યુરેશનનું સક્રિય સંચાલન કરીને વિવિધ આર્થિક ચક્રોમાં સ્થિર, જોખમ-સમાયોજિત રિટર્ન્સ આપવાનો પ્રયાસ કરે છે.”
બજાજ ફિનસર્વ લો ડ્યુરેશન ફંડ પોર્ટફોલિયોની મેકોલે ડ્યુરેશન 6 મહિના થી 12 મહિના વચ્ચે જાળવી રાખશે, જેના કારણે વધારાના (સરપ્લસ) નાણાં ધરાવતા રોકાણકારો માટે તે યોગ્ય વિકલ્પ બને છે. આ સ્કીમ પરંપરાગત બચત વિકલ્પોની સરખામણીમાં એક વિકલ્પરૂપે ઉકેલ પૂરો પાડવાનું લક્ષ્ય રાખે છે, જેમાં ઇક્વિટી માર્કેટની અસ્થિરતાનો સામનો કર્યા વિના વધુ સારા એક્રૂઅલ અવસર મળી શકે છે.
આ ફંડ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના વિવિધિકૃત પોર્ટફોલિયોમાં રોકાણ કરશે, જેમાં મની માર્કેટ સિક્યુરિટીઝ, કોર્પોરેટ બોન્ડ્સ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી), સરકારી સિક્યુરિટીઝ પર ટ્રાયપાર્ટી રેપોઝ, ટ્રેઝરી બિલ્સ અને રેપોઝનો સમાવેશ થાય છે. સાથે જ, લિક્વિડિટી અને વ્યાજ દરના જોખમનું સક્રિય રીતે સંચાલન કરવામાં આવશે. કુલ ડ્યુરેશન ઓછી રાખતા, લાંબી અવધિના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મર્યાદિત એક્સપોઝર પણ રાખી શકાય છે.
આ ફંડ 6–12 મહિના માટે વધારાના નાણાં રોકવા ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ છે. તેનો ઉપયોગ તબક્કાવાર એસેટ એલોકેશન સ્ટ્રેટેજી માટે પણ કરી શકાય છે, જેમ કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી) દ્વારા ધીમે ધીમે ઇક્વિટી અથવા હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરવું. આ રીતે, રોકાણકારો બજારમાં પ્રવેશના જોખમને સંભાળી શકે છે અને વચ્ચેના સમયગાળા દરમિયાન એક્રૂઅલ આવક મેળવી શકે છે.
આ સ્કીમનું સંયુક્ત સંચાલન નિમેશ ચંદન અને સિદ્ધાર્થ ચૌધરી દ્વારા કરવામાં આવશે અને તેનું બેન્ચમાર્ક નિફ્ટી લો ડ્યુરેશન ડેટ ઇન્ડેક્સ એઆઈ રહેશે. આ સ્કીમ પોટેન્શિયલ રિસ્ક ક્લાસ બી-III હેઠળ આવે છે, જે પ્રમાણમાં ઊંચો વ્યાજ દર જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ દર્શાવે છે.
આ સ્કીમમાં કોઈ એન્ટ્રી કે એક્ઝિટ લોડ નથી. નવો ફંડ ઑફર દરમિયાન ન્યૂનતમ અરજી રકમ ₹5,000 છે, જે રોકાણકારોને લવચીકતા અને સરળ ઉપલબ્ધતા પ્રદાન કરે છે.


