Friday, May 23, 2025
HomePoliticsદિલીપદાસજી બન્યા ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ

દિલીપદાસજી બન્યા ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ

Date:

spot_img

Related stories

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...
spot_img

નવી દિલ્હી : અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે નૌતમ સ્વામીની હાકલ પટ્ટી કરવામાં આવી હતી. જે બાદ હવે રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજીની અધ્યક્ષતામાં આજે અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિરે બેઠક યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના વડા તરીકે જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની નિમણૂંક કરવામાં આવી છે.
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે, સાળંગપુરના ભીંતચિત્રો સહિતના સનાતન ધર્મ મામલે જે વિવાદો છે, તે મામલે આંદોલન ચલાવનારા સંતોને સાળંગપુર વિવાદ મામલે મુખ્યમંત્રી સાથેની જે બેઠક કરવામાં આવી હતી, તે બેઠકમાં બોલાવવામાં આવ્યા નહોતા જે યોગ્ય નથી. જે સાધુ સંતોએ મુહિમ ચલાવી હતી તેઓને પણ બોલાવવા જોઈતા હતા. સનાતન ધર્મ માટે સમાધાન જરૂરી છે. સ્વામિનારાયણ સંતોની સાથે સંપર્કમાં છું. સમાધાન માટે પ્રયાસ ચાલુ છે. જો સ્વામિનારાયણ સંતો સમાધાન નહીં કરે તો નુકશાન થશે. સનાતન ધર્મમાં સંતો માટે સમાધાન જ વિકલપ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ-સંતોની સાથે પણ ચર્ચા કરવામાં આવશે. સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના નવતન સ્વામી દ્વારા વિવાદ આસપાસ નિવેદનો આપવામાં આવ્યા હતા, જેના પગલે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કરવામાં આવી હતી. જે બાદ ગુજરાતના પ્રમુખની નિમણૂક કરવા માટે આજે જમાલપુર જગન્નાથ મંદિરમાં બેઠક કરવામાં આવી હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજ સહિતના વિવિધ સંતો હાજર રહ્યા હતા. ધર્માચાર્ય અખીલેશ્વરદાસજી મહારાજ અને ચૈતન્ય શંભુ મહારાજ ઇતના સંતોની હાજરીમાં વિધિવત રીતે દિલીપદાસજી મહારાજની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે જેમાં મોહનદાસજી મહારાજ અને રાજેન્દ્રગિરી મહારાજની નિમણૂંક કરવામાં આવી છે.

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here