Sunday, May 19, 2024
HomeGujaratગાંધીનગર: પોલીસની આત્મહત્યામાં મોટો વળાંક, સુસાઇડ નોટમાં લખ્યુ, 'પત્ની સાથેના અંગત પળોનો...

ગાંધીનગર: પોલીસની આત્મહત્યામાં મોટો વળાંક, સુસાઇડ નોટમાં લખ્યુ, ‘પત્ની સાથેના અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કર્યો’

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

 સુરેન્દ્રનગર: મૂળી તાલુકાના સરાના વતની અને ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાન દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમારે કથિત રીતે અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે મૃતક પોલીસ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. તેમજ મૃતક પોલીસ કર્મચારી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ બનાવ 9 જાન્યુઆરીના રોજ બન્યો હતો. જેમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો. આ આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

દીપકસિંહ પરમારે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં તેમણે પોતે આત્મહત્યા કરવાના કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. 

મૃતકની સ્યુસાઇડ નોટ નીચે પ્રમાણે છે.

જય માતાજી,

પ્રતિશ્રી માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી,

હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો.હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે અને મને માનસિક ત્રાસ આપે છે, જેનું નામ D.K.RANA. IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે, જેથી હું આત્મ હત્યા કરું છું.

પોતાના ઘરે જ ફાંસો ખાધો હતો

નોંધનીય છે કે, દિપકસિંહે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. જે બાદ દિપકસિંહને તાત્કાલીક ધ્રાંગધ્રા હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here