Sunday, March 16, 2025
HomeGujaratસરકારનું મધરાત સુધી મનોમંથન, CBSE અંગે PMનો નિર્ણય, GSEBની પરીક્ષાનો નિર્ણય CM...

સરકારનું મધરાત સુધી મનોમંથન, CBSE અંગે PMનો નિર્ણય, GSEBની પરીક્ષાનો નિર્ણય CM લેશે?

Date:

spot_img

Related stories

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં બોર્ડની પરીક્ષાની ફેર વિચારણા અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે. ગઈકાલે(મંગળવાર) 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈને કોરોનાની હાલની પરિસ્થિતિ સમીક્ષા, વાલી, વિદ્યાર્થીઓ તથા સંકૂલ સંચાલકોના મંતવ્યોના આધારે ફેર વિચારણા કરવામાં આવે એવી શક્યતાઓ છે.

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here