Saturday, May 18, 2024
HomeGujaratહિતેશ મકવાણા બન્યા ગાંધીનગરના નવા મેયર, સત્તાવાર જાહેરાત કરાઈ

હિતેશ મકવાણા બન્યા ગાંધીનગરના નવા મેયર, સત્તાવાર જાહેરાત કરાઈ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ગાંધીનગર ના નગરજનોને આજે નવા મેયર મળ્યા છે. બહુમતીથી ભાજપના હિતેશ મકવાણાગાંધીનગરના નવા મેયર બન્યા છે. વોર્ડ નંબર 8 ના વિજેતા ઉમેદવાર હિતેશ મકવાણાને ભાજપના તમામ મત મળ્યા છે. જેમના નામની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. તેમના પિતા પૂર્વ ધારાસભ્ય છે. 

ગાંધીનગર ) મહાનગરપાલિકામાં ચૂંટણી પૂર્ણ થયા બાદની આજે પહેલી સામાન્ય બેઠક મળી હતી. સામાન્ય બેઠકમાં નવા મેયરની વરણી કરવામાં આવી છે. ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરવામાં આવી છે. આ વખતે અનુસૂચિત જાતિ માટે મેયર પદ અનામત હતું. પહેલેથી જ હિતેશ મકવાણા અને ભરત દીક્ષિત બંને મેયર પદ માટેના પ્રબળ દાવેદાર ગણાતા હતા. ભાજપમાંથી હિતેશ મકવાણાએ ફોર્મ ભર્યું હતું, તો કોંગ્રેસમાંથી તુષાર પરીખે મેયર પદ માટે ફોર્મ ભર્યું હતું. ત્યારે આખરે હિતેશ મકવાણાએ બાજી મારી છે. 

ગાંધીનગર પાલિકામાં જાતિગત સમીકરણ 
આજે ગાંધીનગર મનપા ની પ્રથમ સામાન્ય સભા મળી હતી. ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદ્દેદારો પર મહોર લગાવવામાં આવી છે. જેની જાહેરાત આજે કરાઈ છે. આવામાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા હોદ્દેદારોની પસંદગી કરાય તેવી સંભાવના હતી. ગાંધીનગર મહાનગરપાલિકા પર એક નજર કરીએ તો, મનપામાં ટોટલ 11 વોર્ડ 44 બેઠક છે. જેમાં 41 બેઠક પર ભાજપની જીત થઈ છે. જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ SC 5 + 1 છે. જેમાં પાટીદાર 12, ક્ષત્રિય 7, બ્રાહ્મણ 5, ઠાકોર 7, Obc 3 અને St 1 ઉમેદવાર છે. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here