Thursday, May 15, 2025
HomeGujaratકોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન નહીં કરીએ તો ફરી જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી...

કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન નહીં કરીએ તો ફરી જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ ઊજવવી પડશે: વિજય રૂપાણી

Date:

spot_img

Related stories

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ...

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને...

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...
spot_img

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં જ ધંધા-રોજગાર સહિત બજારો ખૂલવા લાગ્યાં છે. પરિણામે, ઉત્સવ પ્રિય અને હરવાફરવા અને જમવાના શોખીન ગુજરાતીઓ બિનધાસ્ત બની મોજમજા કરી રહ્યા છે. એ જોતાં ત્રીજી લહેરનો ડર પણ વધવા લાગ્યો છે. આ સંજોગોમાં જો જનતા કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન નહીં કરે તો ફરી એકવાર ગુજરાતની પ્રજાએ નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ કરવી પડશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ચેતવણી આપી છે કે દેશભરનાં કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ બીજી લહેર બાદ ફરી એકવાર વધવા લાગ્યા છે, જેને કારણે દેશમાં નોંધાતા દૈનિક કેસની સંખ્યા પણ વધી રહી છે. એવામાં રાજ્યમાં જો કોરોનાના કેસ વધશે તો રાજ્ય સરકાર નિયંત્રણો ફરી કડક કરી દેશે. એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેથી નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. એવામાં જો રાજ્યમાં પણ કોરોનાના કેસ વધશે તો નિયંત્રણો ફરીથી લાદવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.મુખ્યમંત્રીએ ઈશારામાં ચીમકી આપી છે કે બેફામ બની કોરોના સંબંધિત નિયમોનો ભંગ થયો, જાહેર જગ્યાઓએ તહેવાર સમયે ભીડ થઈ અને ફરીથી કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું તો રાજ્ય સરકારે જે છૂટછાટો આપી છે એને પરત લઈ લેશે અને કડક નિયમો લાગુ કરી દેશે.આગામી દિવસોમાં ગુજરાતમાં જન્માષ્ટમી, ગણેશોત્સવ, રક્ષાબંધન, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે અને છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉન અને પ્રતિબંધોને કારણે તહેવારો મનાવી શકાયા નથી, હાલ ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે અને વિશ્વભરમાં ત્રીજી લહેરની શરૂઆત થવા લાગી છે. એવા સમયે ગુજરાતમાં જો કોરોના ગાઈડલાઈન્સનો પ્રજા સ્વયં અમલ નહીં કરે તો ફરી એકવાર કોરોના ફૂંફાડો મારી શકે છે.

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ...

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને...

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here