Monday, March 16, 2026
HomenationalGST અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ભારત બંધનુ એલાન

GST અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ભારત બંધનુ એલાન

Date:

spot_img

Related stories

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...
spot_img

આજે સવારે 6થી રાતના 8 વાગ્યા સુધી ટ્રાન્સપોર્ટ અને બજારો બંધ રાખવાનું એલાન, 8 કરોડ વેપારીઓનું બંધને સમર્થન

મુંબઈ: ઇ-વે બિલ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ને લઈને ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. માર્ગ પરિવહન ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોટર્સ વેલ્ફેર એસોસિયેશન અને અન્ય સંગઠનોએ પણ બંધને ટેકો જાહેર કર્યો છેકેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું- શુક્રવારે દેશભરમાં 1,500 સ્થળ પર ધરણાં કરવામાં આવશે. બધાં બજારો બંધ રહેશે. 40 હજારથી વધુ વ્યાવસાયિક સંગઠનો સાથે સંકળાયેલા આશરે 8 કરોડ વેપારીઓ બંધને ટેકો આપી રહ્યા છે.કેટ અનુસાર, ગયા વર્ષે 22 ડિસેમ્બરે અને ત્યાર બાદ GST નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આમાં અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી હતી. હવે કોઈપણ અધિકારી કોઈપણ કારણોસર કોઈપણ વેપારી GST રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. બેંક ખાતાં અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કરતાં પહેલાં વેપારીને કોઈ નોટિસ આપવામાં આવશે નહીં. એ વેપારીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.ઇ-વે બિલની મર્યાદા 100 કિ.મી.થી વધારીને 200 કિ.મી. કરવામાં આવી હોવાથી 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ઇ-વે બિલ નિયમથી ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓ ચિંતિત છે. ખરેખર 2021-22ના બજેટમાં ઇ-વે બિલની કલમ 129માં બદલાવ કરવામાં આવ્યો છે. તદનુસાર, જો બિલમાં કોઈ ભૂલ થાય છે તો પછી ટેક્સ અને પેનલ્ટી બંને વસૂલવામાં આવશે, સાથે જ જે ટેક્સ અગાઉ પરત કરવામાં આવતો હતો એ હવે થશે નહીં. જો અજાણતાં એક નાની ભૂલ થાય છે તો પેનલ્ટી અને દંડ બેગણો વસૂલવામાં આવશે

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here