Saturday, September 5, 2026
HomeIndiaઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના મોત

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના મોત

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ટ્રોમા કેર ICUમાં સોમવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 દર્દીઓના મોત થયા છે. આ ઘટના બિલ્ડિંગના પહેલા માળે લગભગ 2:30 વાગ્યે બની હતી. ICUમાં આગ લાગવાના સમાચાર ફેલાતા જ, આ હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફમાં અફરાતફરીનો માહોલ પ્રસરી ગયો હતો. હોસ્પિટલની ફાયર સેફ્ટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર એન્જિન તૈનાત કર્યા.
સાવચેતીના પગલા તરીકે, ICUમાં દાખલ 10 થી વધુ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ‘ન્યૂ મેડિસિન ICU’માં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક હોસ્પિટલ પરિસરની આસપાસના મુખ્ય રસ્તાને કોર્ડન કરી દીધો હતો જ્યારે ઇમરજન્સી ટીમોએ પરિસ્થિતિ સંભાળી હતી. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ-પીએમ મોદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આરોગ્ય સચિવ, કટક જિલ્લા કલેક્ટર અને કટક ડીસીપી સહિત વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ વહેલી સવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.માંઝીએ જણાવ્યું હતું કે, આગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે પીડિતોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછ્યા બાદ માંઝીએ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યાર બાદ સીએમ માંઝીએ કહ્યું, “આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવશે અને તારણો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.”

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here