Saturday, June 27, 2026
HomeIndiaઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના મોત

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના મોત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ટ્રોમા કેર ICUમાં સોમવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 દર્દીઓના મોત થયા છે. આ ઘટના બિલ્ડિંગના પહેલા માળે લગભગ 2:30 વાગ્યે બની હતી. ICUમાં આગ લાગવાના સમાચાર ફેલાતા જ, આ હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફમાં અફરાતફરીનો માહોલ પ્રસરી ગયો હતો. હોસ્પિટલની ફાયર સેફ્ટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર એન્જિન તૈનાત કર્યા.
સાવચેતીના પગલા તરીકે, ICUમાં દાખલ 10 થી વધુ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ‘ન્યૂ મેડિસિન ICU’માં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક હોસ્પિટલ પરિસરની આસપાસના મુખ્ય રસ્તાને કોર્ડન કરી દીધો હતો જ્યારે ઇમરજન્સી ટીમોએ પરિસ્થિતિ સંભાળી હતી. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ-પીએમ મોદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આરોગ્ય સચિવ, કટક જિલ્લા કલેક્ટર અને કટક ડીસીપી સહિત વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ વહેલી સવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.માંઝીએ જણાવ્યું હતું કે, આગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે પીડિતોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછ્યા બાદ માંઝીએ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યાર બાદ સીએમ માંઝીએ કહ્યું, “આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવશે અને તારણો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.”

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here