Tuesday, March 17, 2026
HomeGujaratજૂનાગઢ: ગિરનાર રોપ-વેને "માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ" સર્ટિફિકેટ મળ્યું

જૂનાગઢ: ગિરનાર રોપ-વેને “માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ” સર્ટિફિકેટ મળ્યું

Date:

spot_img

Related stories

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65%...

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...
spot_img

જૂનાગઢ : ગિરનાર રોપ-વેની સફર માટે આવતા પ્રવાસીઓની હવે સુરક્ષા સાથે આરોગ્યની પણ સલામતી જળવાશે. કારણ કે ગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું છે. ગિરનાર રોપવે તૈયાર કરનાર ઉષા બ્રેકો કંપની નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ રોપવે કંપની બની છે. ઉષા બ્રેકો કંપનીને મળેલા પ્રમાણપત્રનું પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ અનાવરણ કર્યુ હતું. આ પ્રમાણપત્ર મળતાં કંપનીની સાથે ગુજરાત અને જૂનાગઢનું પણ ગૌરવ વધ્યું છે. પ્રવાસીઓની સુરક્ષા અને આરોગ્યની સલામતી સુનિશ્ચીત થતાં પ્રવાસનને પણ ફાયદો થશે.રાજ્યનો સૌથી ઉંચો પર્વત એટલે ગિરનાર અને ગિરનાર પર્વત પર આઠ માસથી રોપવે કાર્યાન્વિત થયો છે ત્યારથી લઈએ અત્યાર સુધીમાં અંદાજે 4 લાખ પ્રવાસીઓ રોપવેની સફર માણી ચુક્યા છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટ ઉષા બ્રેકો કંપનીએ તૈયાર કર્યો છે અને આ રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે છે. તેથી સ્વાભાવિક રીતે તેની ઉંચાઈને લઈને જોખમ પણ રહેલું છે. તેથી જ આ રોપવેમાં વિશ્વની સૌથી અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં સફળતા પણ હાંસલ થઈ છે. પ્રવાસીઓ સુરક્ષિત રીતે રોપવેની સફર માણી રહ્યા છે. ત્યારે હવે રોપવે સફરની સુરક્ષા સાથે પ્રવાસીઓ અહીં આરોગ્યની દ્રષ્ટિએ પણ સુરક્ષિત છે તેવું ઉષા બ્રેકો કંપનીને પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા વૈશ્વિક સ્તરે નિષ્ણાંતોની ટીમ દ્વારા ઈન્ફેક્શન રીસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ વિકસિત કરાયો છે, કોરોના સમયમાં રોપવે પરિસરમાં સંક્રમણનું જોખમ ઘટાડવા ઉષા બ્રેકો કંપનીએ ડીએનવી કંપની પાસે ઓડીટ કરાવ્યુ અને તેની એસઓપી લાગુ કરી જેને લઈને ઉષા બ્રેકો કંપનીને રોપવે પરિસરમાં સોશ્યલ ડિસ્ટન્સ, કર્મચારીઓની તાલીમ, સ્વચ્છતા, આરોગ્યની સલામતી સહીતની બાબતોનું પાલન થતું હોવાનું પ્રમાણિત થતાં કંપનીને સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે, જે પ્રવાસીઓની આરોગ્યની સલામતી સુનિશ્ચીત કરે છે.કંપનીને મળેલ આ પ્રમાણપત્રનું રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. જેમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ, કંપનીના રીજીયોનલ હેડ દીપક કપલીશ, મેનેજર ઘનશ્યામ પટેલ હાજર રહ્યા હતા. ગિરનાર રોપવે પ્રોજેક્ટનું 24 ઓક્ટોબર 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું અને અત્યાર સુધીમાં 4 લાખ પ્રવાસીઓ રોપવેની સફર કરી ચુક્યા છે. કંપનીને અનેક માપદંડોમાંથી પસાર થયા બાદ મળેલા આ પ્રમાણપત્રથી યાત્રીકોને એક સુરક્ષિત અને આરામદાયક સફરનો વિશ્વાસ સંપાદીત થશે અને પ્રવાસનને પણ ફાયદો થશે.

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65%...

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here