
સંવત 2081માં ભારતીય બજારો નિરાશાજનક રહ્યા અને ઘણા વૈશ્વિક બજારોની સરખામણીએ નબળો દેખાવ કર્યો. આના મુખ્ય કારણો હતા નબળી કમાણી અને ટેરિફ અનિશ્ચિતતા, જે વિવિધ ભૂ-રાજકીય અને મેક્રો અવરોધોના લીધે વધુ જટિલ બન્યા છે. માર્ચ 2025માં નિફ્ટી 21750ના નીચા સ્તરને સ્પર્શી હતી, જ્યારે બીએસઈ સેન્સેક્સ 71500ના નીચા સ્તરે પહોંચ્યો હતો, જેમાં બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સે સંવત 2081 દરમિયાન લગભગ 1.5 ટકા ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સે નબળો દેખાવ કર્યો હતો અને અનુક્રમે 5.6 ટકા અને 5.4 ટકા ઘટ્યા હતા. ભૂરાજકીય તણાવને ઉકેલવા માટે વૈશ્વિક સમુદાય દ્વારા કરવામાં આવેલા પ્રયાસો, વૈશ્વિક અને સ્થાનિક ફુગાવાને હળવો થવો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, આરબીઆઈ અને ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો, જીએસટીના દરોમાં ઘટાડો, આવકવેરાના સ્લેબમાં વધારો અને ભારત સરકાર દ્વારા વિવિધ ટેરિફ કરારો અંગે પ્રગતિને ધ્યાનમાં લેતા ભારતીય બજારોમાં ઘટાડો અને નબળું પ્રદર્શન આશ્ચર્ય પમાડે તેવું હતું. એફઆઈઆઈ દ્વારા 27.3 અબજ (અથવા રૂ. 2.4 લાખ કરોડ) ની ભારે વેચવાલીના પગલે ઘટાડો જોવા મળ્યો હતો. ડીઆઈઆઈએ છેલ્લા એક વર્ષમાં રૂ. 4.5 લાખ કરોડનું રોકાણ કરીને ભારતીય મૂડી બજારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો હતો ત્યારે રિટેલ કેટેગરી (એસઆઈપી દ્વારા) પણ પાછળ રહી નહોતી અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બર 2024માં રૂ. 28,000 કરોડ અને નાણાંકીય વર્ષ 2026ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં માં રૂ. 1,37,000 કરોડનું રોકાણ કર્યું હતું. સંવત 2081નું વર્ષ બેંક નિફ્ટી (7.2 ટકા વૃદ્ધિ) અને ઓટો (0.5 ટકા વૃદ્ધિ) ના નામે રહ્યું હતું જ્યારે બીએસઈ આઈટી (20.5 ટકા ઘટાડો), બીએસઈ એફએમસીજી (13.3 ટકા ઘટાડો), બીએસઈ રિયલ એસ્ટેટ (16.8 ટકા ઘટાડો), બીએસઈ યુટિલિટીઝ (18.5 ટકા ઘટાડો) અને બીએસઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ (12.2 ટકા ઘટાડો) એ સૌથી ખરાબ પર્ફોર્મન્સ આપ્યું હતું.


