Sunday, May 11, 2025
HomeBusinessMSME માટે દિવાળી ટાણે ખુશીના સમાચાર, PM મુદ્રા યોજના લોન મર્યાદા બમણી...

MSME માટે દિવાળી ટાણે ખુશીના સમાચાર, PM મુદ્રા યોજના લોન મર્યાદા બમણી કરાઈ

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

PM Mudra Yojana Loan Limit: કેન્દ્ર સરકારે એમએસએમઈ માટે દિવાળી ભેટ આપતી એક જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મળતી લોનની મર્યાદા વધારી બમણી અર્થાત રૂ. 20 લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી એમએસએમઈને વેગ મળશે અને રોજગારીની તકો પણ વધશે.

નાના વેપારીઓને થશે લાભ
નાણા મંત્રાલય અનુસાર, આ પગલાંથી એમએસએમઈને બિઝનેસ સ્થાપિત કરવા અને વિસ્તરિત કરવાની તકો મળશે. જેનાથી રોજગારની નવી તકો સર્જાશે અને દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.

કોણ આ લાભ લઈ શકશે?

જે લોકો પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. તદુપરાંત એમએસએમઈ પોતાના બિઝનેસના વિસ્તરણ માટે પણ મુદ્રા યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમ હેઠળ નીચા વ્યાજદરે ઝડપી અને સરળતાથી લોન પ્રદાન થાય છે. જેમાં કોઈ ગેરેંટરની જરૂર પડતી નથી.

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની તરૂણ કેટેગરી અંતર્ગત એમએસએમઈ રૂ. 20 લાખ સુધીની લોન લેવા સક્ષમ ગણાશે. ક્રેડિટ ગેરેંટી ફંડ ફોર માઈક્રો યુનિટ્સ હેઠળ રૂ. 20 લાખની લોન પર કેન્દ્ર સરકાર પોતે ગેરેંટી કવરેજ આપે છે.

શું છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ, 2015ના રોજ એમએસએમઈને રૂ. 10 લાખ સુધીની કોલેટરલ ફ્રી માઈક્રો ક્રેડિટ પ્રદાન કરવાના હેતુ સાથે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આ હતી. જેમાં પસંદગી કરાયેલી બેન્કો, એનબીએફસી, અને માઈક્રો ફાઈનાન્સ યુનિટ્સ ત્રણ કેટેગરી શિશુ (રૂ. 50000), કિશોર (રૂ. 50000થી 5 લાખ) અને તરૂણ (રૂ. 10 લાખ) લોન ગેરંટી-કોલેટરલ વિના ફાળવે છે. તરૂણ કેટેગરીની મર્યાદા વધારી રૂ. 20 લાખ કરવામાં આવી છે.

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here