
બિહારમાં 19 નવેમ્બર, બુધવારે યોજાયેલી NDAની બેઠક પછી નીતિશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મુખ્યમંત્રી તરીકે રાજીનામું સોંપી દીધું હતું. આ સાથે નીતિશ કુમારે બિહારમાં નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલા એનડીએની બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે પણ નીતિશ કુમારની પસંદગી થઈ હતી. સમ્રાટ ચૌધરીએ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને એનડીએના સભ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી. હવે આવતીકાલે 20 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોનો શપથગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર 10મી વખત બિહારની બાગડોર સંભાળશે.નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળની બેઠકમાં નેતા પસંદ કરાયા છે. તેઓ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પટણાના ગાંધી મેદાનમાં ગુરૂવારે (20 નવેમ્બર) શપથગ્રહણ સમારોહનું આયોજન કરાઈ રહ્યું છે. જેને લઈને જોર-શોરથી તૈયારીઓ કરાઈ રહી છે. જણાવી દઈએ કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કરતા 202 બેઠકો જીતવામાં સફળતા હાંસલ કરી છે. ભાજપ 89 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. જ્યારે નીતિશ કુમારની પાર્ટી JDUએ 85 બેઠકો જીતી છે અને બીજા નંબરે રહી છે. આ સાથે ચિરાગ પાસવાનની પાર્ટી LJPએ 5 બેઠકો પર જીત મેળવી છે. બીજી તરફ મહાગઠબંધનની ખરાબ રીતે હાર થઈ અને 35 બેઠકો પર જ સમેટાઈ ગઈ.નીતિશ કુમારની NDA ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આવતીકાલે શપથગ્રહણ સમારોહ યોજાશે.


