Monday, June 16, 2025
Homenationalપલાનીસ્વામી AIADMKના વચગાળાના મહાસચિવ પદે ચૂંટાયા

પલાનીસ્વામી AIADMKના વચગાળાના મહાસચિવ પદે ચૂંટાયા

Date:

spot_img

Related stories

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે...

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025...

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...

અમદાવાદ ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા પ્લેન ક્રેશ નાં દિવંગત...

અમદાવાદ ગાયત્રી પરિવાર મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો આઈપીઓ બુધવાર, 18...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (“ASL” or “The Company”) બુધવાર, 18...
spot_img

ચેન્નઈ : મદ્રાસ હાઈકોર્ટની લીલી ઝંડી મળ્યા બાદ એડપ્પાડી કે. પલાનીસ્વામીને પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠકમાં AIADMKના વચગાળાના મહાસચિવ પસંદ કરાયા. બેઠકમાં AIADMK જનરલ કાઉન્સિલે મહાસચિવ પદને ફરીથી સ્થાપિત કરવા અને પાર્ટીના સભ્યો દ્વારા પદ માટે એક વ્યક્તિની ચૂંટણી કરવા માટે પ્રસ્તાવ પાસ કર્યો. ચૂંટણી 4 મહિના બાદ થશે. આ સિવાય બેઠકમાં પાર્ટીના બેવડા નેતૃત્વને ખતમ કરવા અને પાર્ટી માટે નાયબ મહાસચિવ પદ બનાવવાનો ઠરાવ પસાર કર્યો.AIADMKની જનરલ કાઉન્સિલની બેઠકમાં પેરિયાર, એમજી રામચંદ્રન (એમજીઆર) અને જયલલિતાને ભારત રત્ન આપવાની માગનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ઈ પલાનીસ્વામીની અધ્યક્ષતામાં અન્નાદ્રમુક જનરલ કાઉન્સિલ બેઠકમાં 16 પ્રસ્તાવો પાસ કરાય તેવી આશા છે.તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી પનીરસેલ્વમની અરજીને ફગાવતા મદ્રાસ હાઈકોર્ટે આજે થનારી AIADMK જનરલ કાઉન્સિલની બેઠક માટે લીલી ઝંડી આપી હતી. પનીરસેલ્વમે બેઠકને રોકવા માટે હાઈકોર્ટમાં અરજી આપી હતી. હાઈકોર્ટનો નિર્ણય આવતા જ પનીરસેલ્વમ સમર્થકોએ ઈ પલાનીસ્વામીના નેતૃત્વમાં પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠક પહેલા અન્નાદ્રમુક કાર્યાલયનો દરવાજો તોડી દીધો. આ સિવાય સમર્થકોએ રસ્તા પર પણ સૂત્રોચ્ચાર કર્યા. જોકે વિરોધ છતાં AIADMK નેતા પલાનીસ્વામી બેઠક માટે પોતાના આવાસમાંથી રવાના થઈ ગયા. મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તા તેમના સ્વાગત માટે રસ્તામાં એકઠા થયા. 

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે...

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025...

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...

અમદાવાદ ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા પ્લેન ક્રેશ નાં દિવંગત...

અમદાવાદ ગાયત્રી પરિવાર મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો આઈપીઓ બુધવાર, 18...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (“ASL” or “The Company”) બુધવાર, 18...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here