Sunday, May 19, 2024
Homenationalએનઆઈએના દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન, ભાજપની...

એનઆઈએના દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન, ભાજપની ઓફિસ તોડી નાખી

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

કેરલ: પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા (PFI)એ NIAની આગેવાનીમાં ગુરુવારે કેટલીય એજન્સીઓ તરફથી તેમની ઓફિસો, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જેના વિરોધમાં 23 સપ્ટેમ્બરે હડતાળનું આહ્લાન કર્યું છે. પીએફઆઈએ શુક્રવારે કેરલ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કેરલના તિરુવનંતપુરમમાં એક કાર અને ઓટો રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. તો વળી તમિલનાડૂના કોયંબટૂરમાં સભ્યોની ધરપકડ બાદ પીએફઆઈએ હિંસક પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન બીજેપીની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો.બીજેપી કાર્યકર્તાઓનો આરોપ છે કે, તેમના કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. આ સમગ્ર ઘટના બાદ ભાજપ ઓફિસ બહાર પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. એનઆઈએ અને ઈડી તરફથી કરવામાં આવેલા આ દરોડા પીએફઆઈ તરફથી દેશમાં આતંકી ગતિવિધિઓને કથિત રીતે સમર્થન કરવા મામલે પાડ્યા છે. એનઆઈએ તથા અન્ય એજન્સીઓએ ગુરુવારે 15 રાજ્યોમાં 93 જગ્યા પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પીએફઆઈના 106 નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કેરલમાં પીએફઆઈના સૌથી વધારે 22 કાર્યકર્તાઓને દબોચી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાં તેના અધ્યક્ષ ઓએમએ સલામ પણ સામેલ છે. તો વળી ભાજપ કેરલ કમિટિએ પીએફઆઈની કેરલમાં પ્રસ્તાવિત હડતાલને બિનજરુરી ગણાવી અને રાજ્ય સરકાર પાસેથી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.પીએફઆઈ તરફથી શુક્રવારે બોલાવામાં આવેલા બંધને જોતા કેરલ પોલીસે રાજ્યમાં સુરક્ષા કડક કરી દીધી છે. જિલ્લા પોલીસ પ્રમુખે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાના નિર્દેશ જાહેર કર્યા છે. પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, કાયદો તોડનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી બસ સેવા કેએસઆરટીસીએ કહ્યું કે, તે બસનું સંચાલન ચાલુ રાખશે. પરિવહન નિગમે કહ્યું કે, જરુર પડશે તો હોસ્પિટલ, એરપોર્ટ તથા રેલ્વે સ્ટેશનો સુધી પહોંચવા માટે વિશેષ સેવા સંચાલિત કરવામાં આવશે. પરિવહન નિગમે કહ્યું કે, જો જરુરી લાગશે તો, પોલીસ સુરક્ષાની માગ પણ કરી છે.પીએફઆઈએ અહીં એક નિવેદનમાં કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીના વિરોધમાં કેરલમાં શુક્રવારે સવારથી સાંજ સુધી અહીં હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવાયુ છે કે, તેમની રાજ્ય સમિતિએ અનુભવ્યું છે કે, સંગઠનના નેતાઓની ધરપકડથી પ્રાયોજીત આતંકવાદનો ભાગ હતો. પીએફઆઈના પ્રદેશ મહાસચિવ તથા અબ્દુલ સત્તારે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિયંત્રણવાળી ફાસીવાદ સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને અસહમતીનો અવાજ દબાવાનો પ્રયાસ વિરુદ્ધ રાજ્યમાં 23 સપ્ટેમ્બરે હડતાળ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ,સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here