Saturday, April 19, 2025
HomeGujaratAhmedabadPM મોદીના આગમનને પગલે ગુજરાતના રસ્તાઓની રાતોરાત કાયાપલટ કરાઈ!

PM મોદીના આગમનને પગલે ગુજરાતના રસ્તાઓની રાતોરાત કાયાપલટ કરાઈ!

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ : કોઈ જાદૂઈ છડી ફેરવતા જ સ્થળ કે વ્યક્તિની કાયાપલટ થઇ જાય તેવું બાળવાર્તાઓમાં સાંભળ્યું હશે. સરકારી તંત્ર પાસે પણ સ્થળની કાયાપલટ કરી દે એવી જ જાદૂઈ છડી છે. પરંતુ આ જાદૂઈ છડીનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમન થવાનું હોય ત્યારે જ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન જે પણ રૂટમાંથી પસાર થવાના છે તે રસ્તા પેટનું પાણી પણ હાલે નહીં તેવા બનાવી દેવાયા છે. ખરાબ રસ્તાથી કરદાતાની ભલે કમર તૂટે પણ મહાનુભાવ માટે પેટનું પાણી પણ હાલે નહીં તેવા રોડ જે રસ્તા રાતોરાત ‘સુધરી’ ગયા છે તેની વાત કરવામાં આવે તો તેમાં એરપોર્ટથી વડસર એરફોર્સ સ્ટેશન, અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર, જીએમડીસી ગ્રાઉન્ડ, હેલમેટ સર્કલનો રોડ, દૂરદર્શન કેન્દ્રથી ડ્રાઇવઈન રોડ, સોલા ભાગવત તરફના રસ્તાનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, ડ્રાઈવ ઈન રોડમાં જે બાજુથી મહાનુભાવનું જવાનું આયોજન હશે તે જ રોડ ચકાચક કરવામાં આવ્યો છે. જ્યારે તેની સામેની તરફનો રોડ એ જ ખખડધજ હાલતમાં છે.સામાન્ય વ્યક્તિ વરસાદ બાદ ખાડાવાળા રોડથી ત્રાહિમામ્ પોકારી ચૂક્યો છે. સ્થિતિ એવી છે કે, ખાડાવાળા રોડને કારણે અનેક લોકોને કમર દર્દની સમસ્યા પણ થઇ ગઈ છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના રોડ સામે લોકો બળાપો કાઢી રહ્યા હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેટનું પાણી પણ હલતું નહોતું. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે,ત્યારે તેમના માટે રોડની કાયાપલટ કરી દેવામાં આવી છે. સામાન્ય વ્યક્તિ સારા રોડ માટે રજૂઆત કરવા જાય ત્યારે નવરાત્રી પછી ટેન્ડર પાસ કરાવીને જેવો ઉડાઉ જવાબ મળે છે. પરંતુ મહાનુભાવ આવવાના હોય ત્યારે દિવસ-રાત યુદ્ધના ધોરણે તમામ મશીનરીને કામમાં લગાડીને તેમને તકલીફ પડે નહીં સવલતો ઉભી કરી દેવાય છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here