
એસએફઆઈએના મુખ્ય કાર્યક્રમ એસઓએમએસ 2025 નું સફળ આયોજન ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં થયું હતું. “એગ્રી-ઉદ્યમિતા” થીમ આધારિત આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રના નવોત્થાન, ગ્રામ્ય ઉદ્યોગિતા અને જવાબદાર પત્રકારિતાને પ્રોત્સાહન આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એગ્રીટેક નવોચારો, નીતિ નિર્માતાઓ, સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિકવિદો અને ગ્રામ્ય પત્રકારો એક મંચ પર ભેગા થયા હતા.કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌપાલન અને માછીમારી વિભાગના મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. તેમના સ્વાગત સંબોધનમાં તેમણે ગ્રામ્ય પત્રકારો અને કૃષિ ઉદ્યોગકારોના યોગદાનની પ્રશંસા કરી અને તમામ પુરસ્કારવિજતાઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે ભારતની કૃષિ ઝડપથી બદલાઈ રહી છે અને નવોચારોના કારણે ખેડૂતોને નવી દિશા મળી રહી છે. તેઓએ જણાવ્યું કે ભારત આવનારા સમયમાં ખાતર ઉત્પાદન ક્ષેત્રે પણ નેતૃત્વ કરી શકે તેવા સંભવિતાઓ ઉભી થઈ રહી છે.એસએફઆઈએના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીબ ચક્રવર્તીએ જણાવ્યું કે ભારતના ઉત્પાદન ક્ષેત્ર અને કૃષિની સ્થિરતાને મજબૂત કરવા માટે સરકારએ ડિજિટાઈઝેશન, ચીની સ્પર્ધાનો સામનો કરવા માટે ભારતીય ઉત્પાદકોને સમાન તક, નિકાસમાં વૃદ્ધિ લાવતી નીતિઓ, એફસીઓ કાયદાનું સમાન અમલ, કૃષિ ઈનપુટ્સ માટે પુરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગ અને નોન-રેઝિડ્યુલ ઓર્ગેનિક ખાતરોને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર પ્રાથમિકતા સાથે કાર્ય કરવું જોઈએ. આના કારણે આગામી 1 થી 1.5 વર્ષમાં આયાતના વિકલ્પ વિકસાવી શકાશે અને સ્થાયી કૃષિને વેગ મળશે.કાર્યક્રમમાં ખાસ આકર્ષણ ‘થીસિસ શોડાઉન’ સત્ર રહ્યું, જેમાં અગ્રણી કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ વ્યવસાયિક શક્યતાઓને લગતા તેમના સંશોધન રજૂ કર્યા. જેમાં ટીએનએયુ મદુરાઈ દ્વારા બાયોજેનિક નાનો પોટાશિક ખાતર પર અભ્યાસ, કાશ્મીર કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા હાઈ ડેન્સિટી બાગાયતી માટે ઈન્ટેલિજન્ટ સ્પ્રેયરનો પ્રસ્તાવ અને લક્ષ્મીનારાયણ ઈનોવેશન ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા એમોનિયા રિકવરી અને રિયૂઝ પર આધારિત પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા.આ અવસરે ઇન્ડિયન માઇક્રો ફર્ટિલાઈઝર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આઇએમએમએ)ના અધ્યક્ષ રાહુલ મિર્ચંદાની, ઓએએમએ ના અધ્યક્ષ વિજય ઠાકુર અને ટીએપીએમએ ના અધ્યક્ષ એમ. એન. વૈદ્યનાથન પણ ઉપસ્થિત રહ્યા.”આવશ્યક વસ્તુ અધિનિયમ – ખાતર નિયંત્રણ આદેશ – ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ” વિષય પર પણ પેનલ ચર્ચા આયોજિત કરવામાં આવી હતી, જેમાં રાહુલ મિર્ચંદાનીએ ‘વન નેશન, વન લાઇસન્સ’ નીતિની આવશ્યકતા પર ભાર મૂક્યો.એસઓએમએસ 2025 દરમિયાન ‘એગ્રી જર્નાલિઝમ એવોર્ડ્સ’ દ્વારા ગ્રામ્ય ભારતમાં અવાજ ઉઠાવનારા પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા. વિજેતાઓમાં પ્રિન્ટ/ડિજિટલ કેટેગરીમાં અંગ્રેજી માટે પૂજા દાસ, મરાઠી માટે મુકુંદ તાયબા પિંગલેઅને હિન્દી માટે હિમાંશુ મિશ્રા; બ્રોડકાસ્ટ/યૂટ્યુબ કેટેગરીમાં હિન્દી માટે સુનીલ સુશીલ શર્મા, અંગ્રેજી માટે અનિષા જૈન અને મરાઠી માટે ધનંજય શ્રીરામ સનપનો સમાવેશ થાય છે. ઉપરાંત ટોપ નેશનલ એગ્રી-બિઝનેસ મેગેઝીન એક્સલન્સ એવોર્ડ પણ આપવામાં આવ્યો.


